ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉત્તર કોરિયાથી કોરોનાનું નવું વેરિઅન્ટ ફેલાવવાનું જોખમ: WHO

ઉત્તર કોરિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક અઠવાડિયા પહેલા ત્યાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ત્યારથી દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને ઉતારી દેવામાં આવી છે. કોરિયામાં કોરોના માત્ર તેના માટે ચિંતાનું કારણ નથી, તે આખી દુનિયાને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. WHOએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા જેવા સ્થળોએથી કોરોનાનું નવું વેરિઅન્ટ સà
10:17 AM May 18, 2022 IST | Vipul Pandya
ઉત્તર કોરિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક અઠવાડિયા પહેલા ત્યાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ત્યારથી દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને ઉતારી દેવામાં આવી છે. કોરિયામાં કોરોના માત્ર તેના માટે ચિંતાનું કારણ નથી, તે આખી દુનિયાને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. WHOએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા જેવા સ્થળોએથી કોરોનાનું નવું વેરિઅન્ટ સà
ઉત્તર કોરિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક અઠવાડિયા પહેલા ત્યાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ત્યારથી દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને ઉતારી દેવામાં આવી છે. કોરિયામાં કોરોના માત્ર તેના માટે ચિંતાનું કારણ નથી, તે આખી દુનિયાને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. 
WHOએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા જેવા સ્થળોએથી કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરિયામાં રસી ન અપાયેલા લોકોમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધે તેવી સંભાવના છે.  ઉત્તર કોરિયામાં રસીના અભાવ અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ત્યાં કોરોના ફેલાવવાનું જોખમ વધી રહ્યું છે. ઉત્તર કોરિયામાં કોરોનાના પ્રકોપ અંગેના પ્રશ્નના જવાબમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશક માઈક રેયાને કહ્યું કે જો કોઈ દેશ ઉપલબ્ધ પદ્ધતિઓનો ઉપયોગ ન કરે તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે.
તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વારંવાર ચેતવણી આપી છે કે જ્યાં સંક્રમણની જાણ નથી અથવા તેનું પરીક્ષણ કરવામાં આવતું નથી આવી જગ્યાએ નવા વેરિઅન્ટ બહાર આવવાનું સૌથી વધુ જોખમ છે. WHOના વડા ટેડ્રોસે પણ કહ્યું કે રસી ન અપાયેલા લોકોમાં વાયરસનો ફેલાવો ખૂબ જ ચિંતાનો વિષય છે.
યુએન આરોગ્ય એજન્સીએ અગાઉ કહ્યું હતું કે પ્યોંગયાંગે હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાના આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ સંક્ર્મણ વધવાની  સત્તાવાર સૂચના આપી નથી. આ એક રીતે કાનૂની જવાબદારીઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પ્રતિક્રિયા શું છે તે પૂછવા પર, રિયાને કહ્યું કે સંસ્થા સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ તેને આ પ્રકારના દેશમાં  હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.
છેલ્લા બે વર્ષથી જ્યારે કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે પણ ઉત્તર કોરિયા તેના કડક પ્રતિબંધોને કારણે તે  કોરોનાના સંક્ર્મણથી બચી ગયું હતું. હવે ત્યાં 8 મેના રોજ કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. એક સપ્તાહની અંદર ત્યાંના 168 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. એક વ્યક્તિનું મોત થયું છે. જોકે દોઢ લાખથી વધુ લોકો તાવથી પીડિત હોવાનું કહેવાય છે. આ તાવમાં 56 લોકોના મોત પણ થયા છે.  ઉત્તર કોરિયાની સ્થિતિ વિશ્વના સૌથી ખરાબ દેશોમાંની એક છે.
Tags :
CoronacovidCovid19GujaratFirstnorthkoreaspreadingnewvariantWHO
Next Article