ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આનંદીબેન પટેલને હાજર થવાનું સમન્સ મોકલવું ભારે પડ્યું , જાણો SDM સામે શું થઇ કાર્યવાહી

થોડા દિવસો પહેલા યુપીના બદાયૂંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. જમીન વિવાદના એક કેસમાં SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન્સ મોકલ્યું હતું.. નોટિસ મળતા જ રાજભવનમાં હડકંપ મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવે ડીએમને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો...
12:12 PM Nov 02, 2023 IST | Vishal Dave
થોડા દિવસો પહેલા યુપીના બદાયૂંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. જમીન વિવાદના એક કેસમાં SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન્સ મોકલ્યું હતું.. નોટિસ મળતા જ રાજભવનમાં હડકંપ મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવે ડીએમને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો...

થોડા દિવસો પહેલા યુપીના બદાયૂંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. જમીન વિવાદના એક કેસમાં SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન્સ મોકલ્યું હતું.. નોટિસ મળતા જ રાજભવનમાં હડકંપ મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવે ડીએમને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. આ પછી ગુરુવારે સરકારે SDM (ન્યાયિક) વિનીત કુમાર અને કોર્ટ પેશકાર બદન સિંહને સસ્પેન્ડ કરી દીધા છે.

બંધારણના અનુચ્છેદ 361 મુજબ બંધારણીય પદ પર રહેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી.

રાજભવન તરફથી વાંધા પત્ર મળ્યા બાદ બદાયૂંના DMએ રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી આપ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 361 મુજબ બંધારણીય પદ પર રહેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી. આ મામલો 19 ઓક્ટોબરનો છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી ચંદ્રહાસે 2019માં SDM બદાયૂં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં નગર નિવાસી લેખરાજ, પીડબલ્યુડી અને રાજ્યપાલને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રહાસે એસડીએમ જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ કરેલા દાવામાં આરોપ લગાવ્યો હતો કે તેની કાકી કટોરી દેવીનું અવસાન થયું છે. તેને કોઈ સંતાન નહોતું. તે 28 વર્ષ સુધી અમારા ઘરમાં અમારી સાથે રહેતી હતી. તેથી કાયદેસર રીતે જમીન અમારી છે. જ્યારે કાકીની બહેનના પુત્ર ચંદ્રપાલે 2003માં વારસદાર હોવાનો ખોટો ઢોંગ કરીને ત્રણ વીઘા જમીન લેખરાજને વેચી દીધી હતી.

જમીન વિવાદમાં રાજ્યપાલને પક્ષકાર બનાવ્યા હતા

ચંદ્રહાસ નગરમાં રહેતો નથી. તે દિલ્હીમાં રહે છે. તેનો કેસ ચાલી રહ્યો છે. 2020 માં, આ જમીનનો કેટલોક ભાગ સરકાર દ્વારા ફોર-લેન રોડ માટે સંપાદિત કરવામાં આવ્યો હતો અને લેખરાજને 19 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. ચંદ્રહાસે SDM કોર્ટમાં દાખલ કરેલા દાવામાં લેખરાજ અને રાજ્યપાલને પક્ષકાર બનાવ્યા હતા. એસડીએમ કોર્ટમાં રેવન્યુ કોડની કલમ 144 હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી અને રાજ્યપાલ અને લેખરાજને હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા.

Tags :
Anandiben PatelAppearSDMsummonedSuspended
Next Article