ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં આજે દૈનિક કેસોની સરખામણીએ Recovery કેસોની સંખ્યા વધી

દેશમાં આજે કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે એક સારા સમાચાર છે. સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો બતાવે છે કે, કોરોના પર દેશ જીત મેળવી રહ્યો છે. આજે દેશમાં કોરોનાના લગભગ ત્રણ હજાર નવા કેસ નોંધાયા છે. સાથે 30 થી વધુ લોકોના મોત પણ થયા છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,230
05:24 AM Sep 27, 2022 IST | Vipul Pandya
દેશમાં આજે કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે એક સારા સમાચાર છે. સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો બતાવે છે કે, કોરોના પર દેશ જીત મેળવી રહ્યો છે. આજે દેશમાં કોરોનાના લગભગ ત્રણ હજાર નવા કેસ નોંધાયા છે. સાથે 30 થી વધુ લોકોના મોત પણ થયા છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,230
દેશમાં આજે કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે એક સારા સમાચાર છે. સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો બતાવે છે કે, કોરોના પર દેશ જીત મેળવી રહ્યો છે. આજે દેશમાં કોરોનાના લગભગ ત્રણ હજાર નવા કેસ નોંધાયા છે. સાથે 30 થી વધુ લોકોના મોત પણ થયા છે. 
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,230 નવા કેસ નોંધાયા છે જ્યારે 32 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 4,129 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 20 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 899 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન 4,255 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 42,358 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1057 નો ઘટાડો નોંધાયો છે.

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,75,673 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,4,553 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,562 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.72 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.10 ટકાનો સમાવેશ થાય છે. ચેપ દર 1.18 ટકા નોંધાયો હતો.
સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,17,82,43,967 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં, 14,08,253 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં કોરોનાના Active કેસની સંખ્યામાં આવ્યો ઘટાડો, આજે નોંધાયા માત્ર આટલા કેસ
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article