ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

EVM થી જ મતદાન થશે-સુપ્રીમ કોર્ટનો ચુકાદો

EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવા અંગેની વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. VVPAT કેસ પર ઘણા દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ ચૂંટણી...
01:06 PM Apr 26, 2024 IST | Kanu Jani
EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવા અંગેની વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. VVPAT કેસ પર ઘણા દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ ચૂંટણી...

EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવા અંગેની વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. VVPAT કેસ પર ઘણા દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

લોકસભા ચૂંટણીના ચાલી રહેલા બીજા તબક્કાની વચ્ચે, સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે.

કોઈ ઉમેદવાર વેરિફિકેશનની માંગણી કરે છે, તો તે કિસ્સામાં તેની પાસેથી ખર્ચ વસૂલવો જોઈએ

જસ્ટિસ સંજીવ ખન્નાએ પોતાના આદેશમાં ચૂંટણી પંચને પ્રતીક લોડિંગ યુનિટને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું કે, તૈયાર સિસ્ટમ પર આંખ આડા કાન કરી શકાય નહીં. જો કોઈ ઉમેદવાર વેરિફિકેશનની માંગણી કરે છે, તો તે કિસ્સામાં તેની પાસેથી ખર્ચ વસૂલવો જોઈએ, જો ઈવીએમમાં ​​કોઈ ચેડાં જોવા મળે તો તેને ખર્ચ પરત કરવામાં આવે.

વાસ્તવમાં, ઘણા સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM અને VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરવામાં આવી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ હતા. આ પહેલા બુધવારે, કોર્ટે ભારતના ચૂંટણી પંચના એક અધિકારીને EVMની કામગીરી સાથે સંબંધિત કેટલાક ટેકનિકલ પાસાઓની સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી દરેક વસ્તુ પર શંકા કરી શકાય નહીં

ગયા અઠવાડિયે, બેન્ચે આ મામલે અનેક જાહેર હિતની અરજીઓ (PILs) પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે સત્તાવાર કૃત્યો સામાન્ય રીતે ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ માન્ય માનવામાં આવે છે અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી દરેક વસ્તુ પર શંકા કરી શકાય નહીં. કેન્દ્ર સરકારના બીજા સર્વોચ્ચ ધારાશાસ્ત્રી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચૂંટણીની પૂર્વસંધ્યાએ વારંવાર પીઆઈએલ દાખલ કરવા બદલ અરજદારોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મતદારોની લોકશાહી પસંદગીને મજાકમાં ફેરવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલત આ મુદ્દા પર સમાન રાહતની માંગ કરતી અરજીઓને ફગાવી ચૂકી છે.

આ પણ વાંચો- JP Nadda: કોંગ્રેસના મેનિફેસ્ટો મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યા આકરા પ્રહારો

Next Article