ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોણ છે પસમાંદા મુસ્લીમો ? જેના પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ખુદ PM મોદીએ ભાર મૂક્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સામાજિક સમીકરણો શોધવાની સાથે પસમાંદા મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પસમાંદા મુસ્લિમ કોણ છે? તેમને પણ મુસ્લિમ સમાજમાં જ્યોતિબા ફૂલે કે આંબેડકર જેવા નેતાની શી જરૂર છે ? વાસ્તવમાં, દેશમાં મુસ્લિમોની...
04:03 PM Jun 27, 2023 IST | Vishal Dave
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સામાજિક સમીકરણો શોધવાની સાથે પસમાંદા મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પસમાંદા મુસ્લિમ કોણ છે? તેમને પણ મુસ્લિમ સમાજમાં જ્યોતિબા ફૂલે કે આંબેડકર જેવા નેતાની શી જરૂર છે ? વાસ્તવમાં, દેશમાં મુસ્લિમોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સામાજિક સમીકરણો શોધવાની સાથે પસમાંદા મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પસમાંદા મુસ્લિમ કોણ છે? તેમને પણ મુસ્લિમ સમાજમાં જ્યોતિબા ફૂલે કે આંબેડકર જેવા નેતાની શી જરૂર છે ? વાસ્તવમાં, દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીના 85 ટકા હિસ્સાને પસમાંદા કહેવામાં આવે છે, એટલે કે પછાત મુસ્લિમો તેમાં આવે છે, જે મુસ્લિમ સમાજમાં એક અલગ સામાજિક લડાઈ લડી રહ્યા છે. તેમના અનેક આંદોલન થઇ ચૂક્યા છે.

ભારતીય સમાજની જેમ જ એશિયન મુસ્લિમોમાં પણ જાતિ વ્યવસ્થા લાગુ પડે છે. ભારતમાં રહેતા મુસ્લિમોમાં 15 ટકા લોકોને ઉચ્ચ વર્ગ અથવા ઉચ્ચ જાતિના માનવામાં આવે છે, જેમને અશરફ કહેવામાં આવે છે, પરંતુ આ સિવાય બાકીના 85 ટકા અરજલ અને અજલાફને દલિત અને પછાત ગણવામાં આવે છે. મુસ્લિમ સમાજમાં તેમની સ્થિતિ બહુ સારી નથી. મુસ્લિમ સમાજનો ક્રીમ વર્ગ તેમને તિરસ્કારથી જુએ છે, તેઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે દરેક રીતે પછાત અને દબાયેલા છે. આ વિભાગને ભારતમાં પાસમાંદા મુસ્લિમ કહેવામાં આવે છે.

પસમાંદાનો અર્થ શું છે ?

પસમન્દા મૂળ ફારસી શબ્દ છે, જેનો અર્થ થાય છે એવા લોકો કે જેઓ પાછળ રહી ગયેલા, દબાયેલા કે સતામણી કરવામાં આવેલા છે. વાસ્તવમાં ભારતમાં પસમાંદા આંદોલન 100 વર્ષ જૂનું છે. છેલ્લી સદીના બીજા દાયકામાં, મુસ્લિમ પસમાંદા ચળવળની રચના થઈ.આ પછી, ભારતમાં 90 ના દાયકામાં,પસમાંદા મુસ્લિમોના પક્ષમાં ફરીથી બે મોટા સંગઠનો બનાવવામાં આવ્યા. આ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ મુસ્લિમ ફ્રન્ટ હતો, જેના નેતા એજાઝ અલી હતા. આ સિવાય પટનાના અલી અનવરે ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મેરેલી નામનું સંગઠન બનાવ્યું. આ બંને સંસ્થાઓ દેશભરમાં પસમાંદા મુસ્લિમોના તમામ નાના-મોટા સંગઠનોનું નેતૃત્વ કરે છે.

Tags :
emphasizedfocusingPasmanda Muslimspm modi
Next Article