Amreli: પાણીના ધસમતાં પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ જતાં મોત , સમગ્ર પંથકમાં શોકનું મોજું
અમરેલીના ધારીમાં ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા સરંભડા નદીમાં અચાનક પાણીના ભારે પ્રવાહ સાથે પૂર આવ્યું હતું. આ દરમિયાન નદીના પટમાં રહેલા શરદભાઈ કાછડીયા તણાઈ ગયા હતા. ગઈકાલે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં આજે સવારે તેમનો મૃતદેહ મળી આવતા ગામમાં શોક વ્યાપી ગયો છે. તાલુકા પંચાયત સદસ્યએ ઘટનાની પુષ્ટિ કરી છે.
Advertisement
Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rainfall) ને કારણે સ્થિતિ ગંભીર બની છે. આ મેઘતાંડવ (Heavy Rain Fury) વચ્ચે ધારી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખોડિયાર ડેમ (Khodiyar Dam) ના દરવાજા ખોલવામાં આવતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

