MP Parimalbhai Nathwani: 'ચોમાસું સિંહ માટે મેટિંગ અને આરામનો સમય', સિંહ હુમલા અંગે સાંસદ પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કરી ચિંતા
લીલીયામાં સિંહના હુમલામાં યુવકના મોત પર સાંસદ પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ગેરકાયદે સિંહ દર્શનના પ્રયાસો જીવલેણ સાબિત થાય છે. હાલ ચોમાસુ હોવાથી સિંહ માટે આ સંવનન અને આરામનો સમય છે, તેથી જંગલ સફારી પણ બંધ છે. તેમણે લોકોને સિંહોની કનડગત ન કરવા અને માનવ-વન્યજીવ સહ-અસ્તિત્વ જાળવી રાખવા અપીલ કરી છે.
Advertisement
MP Parimalbhai Nathwani: અમરેલી જિલ્લાના લીલીયા (Liliya) પંથકમાં સિંહના હુમલામાં એક યુવકના કરુણ મોતની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે આ ઘટના પાછળના કારણો અને સિંહ સાથેના સહ-અસ્તિત્વ અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.

