Barrage Cum Bridge: આણંદ, વડોદરા અને ભરૂચને જોડનાર 1700 કરોડના ઐતિહાસિક પ્રોજેક્ટને મળી લીલી ઝંડી, જાણો વધુ
મહી નદી પર રૂ. 1700 કરોડના બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. 2 કિમી લાંબા આ બ્રિજથી 15 લાખ લોકોને પીવાનું પાણી, 409 ગામોને સિંચાઈ અને ખંભાત-દહેજ વચ્ચેનું અંતર 75 કિમી ઘટશે. આ પ્રોજેક્ટ ખેતી, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રે આર્થિક ક્રાંતિ લાવશે, જે આણંદ-ભરૂચ પંથકના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાશે.
Advertisement
Barrage Cum Bridge in Anand: આણંદ જિલ્લાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાવા જઈ રહ્યું છે. મહીસાગર નદી પર નિર્માણ પામનાર મહત્વકાંક્ષી બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આશરે રૂ. 1700 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતી મહત્વની કડી સાબિત થશે. સાંસદ મિતેશ પટેલના સતત પ્રયત્નોના પરિણામે આ પ્રોજેક્ટને આખરે લીલી ઝંડી મળી છે, જે લાંબા ગાળાની લોક માંગણીને સંતોષશે.

