E20 Fuel: E-20 ઈંધણ અંગે મુંઝવણ!, વાહન બગડવાની સમસ્યામાં ગ્રાહકો શું કરી શકે?
E-20 પેટ્રોલની ગુણવત્તા બાબતે ગ્રાહકોની સ્થિતિ હાલમાં ઘણી વિકટ છે, કારણ કે ભેળસેળની સત્યતા જાણવી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે વાહન ઉત્પાદક કંપનીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરે છે, ત્યારે ગ્રાહકે સ્વયં જાગૃત બનવું અત્યંત જરૂરી છે. શું તમે જાણો છો કે પેટ્રોલ પંપ પર શંકાસ્પદ ઈંધણની તપાસ કરવા માટે ગ્રાહક પાસે કયા કાનૂની અને ટેકનિકલ અધિકારો રહેલા છે?
Advertisement
E20 Fuel: હાલમાં E-20 પેટ્રોલ અને વાહનના એન્જિનને થતા નુકસાન અંગે ગ્રાહકો મુંઝવણમાં છે. એક તરફ વાહન ઉત્પાદક કંપનીઓ ઈંધણમાં ભેળસેળને કારણે વાહન બગડતું હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ તેલ કંપનીઓ ડિજિટલ મોનિટરિંગનો દાવો કરે છે. આ વિવાદ વચ્ચે સામાન્ય ગ્રાહક ક્યાં જાય અને પોતાના વાહનને સુરક્ષિત રાખવા કેવા પગલાં ભરે, તે અંગેની સંપૂર્ણ વિગતો અહીં આપવામાં આવી છે.

