Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ambaji: શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનું ઘોડાપુર,મહા સુદ પૂનમે ઉમટી ભક્તોની ભારે ભીડ!

Ambaji: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Mandir) માં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ મંગળા આરતી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શક્તિદ્વાર સુધી લાંબી-લાંબી લાઈનો લાગી હતી અને દરેક ગેટ પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
ambaji  શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનું ઘોડાપુર મહા સુદ પૂનમે ઉમટી ભક્તોની ભારે ભીડ
Advertisement
  • મહાસુદ પૂનમે અંબાજી (Ambaji) માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
  • સવારની મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ
  • શક્તિદ્વાર સુધી લાંબી લાંબી લાઈનો જોવા મળી
  • અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
  • અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું
  • માં અંબાના દર્શન કરવા દૂરદૂરથી આવ્યા ભક્તો

Ambaji: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Mandir) માં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ મંગળા આરતી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શક્તિદ્વાર સુધી લાંબી-લાંબી લાઈનો લાગી હતી અને દરેક ગેટ પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. દૂર-દૂરથી આવેલા ભક્તો માતાજીના દર્શન માટે લાઈનમાં ઊભા રહીને ધીરજપૂર્વક રાહ જોતા જોવા મળ્યા.મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી અને ઝળહળતી લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.

Ambaji- Gujarat first

Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ

ચાચરચોકને અલગ-અલગ પ્રકારના ફૂલોના સુંદર શણગારથી સજાવવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. આ ઉપરાંત 51 શક્તિપીઠ સર્કલને પણ રંગબેરંગી લાઈટોથી શણગારીને દિવ્ય દેખાવ આપવામાં આવ્યો હતો.મહાસુદ પૂનમના આ પવિત્ર પર્વે ભક્તોની આ અદ્ભુત ભીડ દર્શાવે છે કે માં અંબા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેટલી અટલ છે.

Advertisement

Ambaji- Gujarat first

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વ્યવસ્થા

દર વર્ષે આવા તહેવારો દરમિયાન અંબાજીમાં લાખો ભક્તો ઉમટે છે અને આ વખતે પણ તેનો અનુભવ થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળ દર્શન અને સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અવસરે ભક્તોએ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા અને સુખ-શાંતિની પ્રાર્થના કરી.

આ પણ વાંચો:  Studio on Wheels: "એલોપેથીમાં કામચલાઉ રાહત, આયુર્વેદમાં કાયમી ઈલાજ!" GenZ વિદ્યાર્થીઓએ સમજાવ્યો આયુર્વેદનો પાવર

Tags :
Advertisement

.

×