Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ambaji: અંબાજી મંદિરની ઓફિસમાં વહીવટદાર પર હુમલો, પૂર્વ પ્રોફેસરે ગળું દબાવ્યું!

Ambaji: શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ambaji  અંબાજી મંદિરની ઓફિસમાં વહીવટદાર પર હુમલો  પૂર્વ પ્રોફેસરે ગળું દબાવ્યું
Advertisement
  • બનાસકાંઠા (Banaskantha) અંબાજી મંદિર (Ambaji Temple) માં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું
  • અંબાજી મંદિર (Ambaji Temple) ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના બની
  • ચેમ્બરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું પકડી દબાવ્યું હતું
  • મંદિરના સ્ટાફે વહીવટદારને બચાવી હોસ્પિટલ ખસેડ્યા

Ambaji: શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Temple) ના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના સ્ટાફે તાત્કાલિક વચ્ચે પડીને વહીવટદારને બચાવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

Ambaji mandir- Gujarat first

Advertisement

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા (Modnath Mishra) અંબાજી મંદિરની વહીવટી ઓફિસે મુલાકાત માટે આવ્યા હતા. તેઓ જ્યારે વહીવટદારની ચેમ્બરમાં ગયા, ત્યારે જૂના કેસ બાબતે ચર્ચા શરૂ થઈ હતી. વર્ષ 2010-2012 દરમિયાન તે સમયના આચાર્યએ મોદનાથ મિશ્રા સામે એસીબી (ACB) માં ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

Advertisement

"કંઈ નહીં કરી શકું" કહેતા જ પિત્તો ગયો

પૂર્વ પ્રોફેસરે આ કેસ સંદર્ભે વહીવટદાર પાસે મદદની અપેક્ષા રાખી હતી. જોકે, વહીવટદારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "આ મેટર હાલ કોર્ટમાં (Court Matter) હોવાથી હું કોઈ મદદ કરી શકું તેમ નથી." આ સાંભળતા જ મોદનાથ મિશ્રાનો પિત્તો ગયો હતો અને તેમણે ઉશ્કેરાઈને વહીવટદારનું ગળું પકડી દબાવવાનું શરૂ કર્યું હતું.

સ્ટાફે વહીવટદારનો જીવ બચાવ્યો

પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી હતી. ગળું દબાવી રાખતા વહીવટદારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે મંદિરનો સ્ટાફ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યો હતો અને વહીવટદારને તેમના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Ambaji mandir- Gujarat first

પોલીસ ફરિયાદ અને વિવાદિત ભૂતકાળ

હુમલાખોર મોદનાથ મિશ્રાનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તેમની સામે ગંભીર ફરિયાદો નોંધાયેલી છે. આ હિંસક હુમલા બાદ અંબાજી મંદિરના વહીવટદારે હુમલાખોર પૂર્વ પ્રોફેસર સામે પોલીસમાં કાયદેસરની ફરિયાદ (Police Complaint) નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Studio On Wheels: માત્ર ટીકા નહીં, મદદ! "નેગેટિવિટીથી ગુજરાતનું હિત નહીં થાય": ડૉ. વિવેકકુમાર ભટ્ટે રજૂ કરી પત્રકારત્વની નવી મિશાલ

Tags :
Advertisement

.

×