અંબાજીના પેટ્રોલ પંપ પર ગોઝારો અકસ્માત: કાર ખાટલા સાથે અથડાતાં ટેન્કર ચાલકનું મોત
Ambaji CNG Pump Accident: અંબાજીના સીએનજી પેટ્રોલ પંપ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. સીએનજી ભરાવવા આવેલી કારે નિયંત્રણ ગુમાવતાં પંપ પર ખાટલા પર બેઠેલા ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ પરમારને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Advertisement
Ambaji CNG Pump Accident: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આવેલા એક પેટ્રોલ પંપ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. સીએનજી (CNG) પુરાવવા આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ખાટલા સાથે અથડાઈ હતી. આ કરુણ અકસ્માતમાં ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે જ આઘાતજનક મોત નીપજ્યું છે.

