Banaskantha: ધાનેરા નગરપાલિકાની ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી, જો ફાયર સેફ્ટી નથી તો..!
- Banaskantha: નિયમો તોડનાર શોપિંગ સેન્ટરને તંત્રએ સીલ કર્યું
- વારંવાર નોટિસ આપવા છતાં બેદરકારી રાખતા કડક પગલાં લીધાં
- તંત્રએ સ્પષ્ટ કર્યું કે લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરાશે નહીં
- આગામી દિવસોમાં પણ કડક તપાસ હાથ ધરાશે
નગરપાલિકાએ કડક પગલું ભર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality) એ અગાઉથી જ સંબંધિત શોપિંગ સેન્ટરને ફાયર સેફ્ટી બાબતે નોટિસ આપી હતી. તેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એલાર્મ સિસ્ટમ સહિતની આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી પાલના ન થતાં અંતે નગરપાલિકાએ કડક પગલું ભર્યું છે.
'સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે'
Banaskantha: 'આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશ'
નગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવિક રીતે અમલમાં હોવા જોઈએ. ભીડભાડવાળા શોપિંગ સેન્ટરોમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની થવાની શક્યતા રહે છે, જેને ધ્યાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ધાનેરા નગરપાલિકાએ સંકેત આપ્યો છે કે જો શહેરમાં વધુ કડક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શોપિંગ સેન્ટરો અને વ્યાવસાયિક સંકુલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ સામે આવી શકે છે. આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા વધુ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
નગરપાલિકાની આ કાર્યવાહી બાદ વેપારીઓમાં ડરનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી અનિવાર્ય રહેશે.
અહેવાલ - કમલેશ નાંભાણી બનાસકાંઠા
આ પણ વાંચોઃ Ahmedabad: મોરૈયા ગામની 2 કંપનીઓ ભડભડ સળગી, આગ લાગવાનું કારણ અકબંધ!


