Banaskantha: પાલનપુરમાં લાગી એકાએક ભીષણ આગ, 3 વાહનો ભસ્મીભૂત
- Banaskantha:પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 વાહનોમાં ભભૂકી આગ
- ખુલ્લામાં પાર્ક કરેલી 2 કાર અને 1 જીપ આગમાં બળીને ખાખ
- આગની જ્વાળાઓને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા
Banaskantha Fire Incident: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર (Palanpur) ના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હીગેટ (Delhi Gate) વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ભરચક બજાર (Crowded Market) વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં અફરાતફરી (Chaos) મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
Banaskantha: ત્રણ વાહનો આગની લપેટમાં
મળતી જાણકારી અનુસાર આગની આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી બે લક્ઝરી કાર અને એક જીપ (Jeep) સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ ભીષણ આગને કારણે આકાશમાં ધુમાડાના (Smoke) કાળા ગોટેગોટા દેખાતા હતા, જે દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે વાહન માલિકોને કંઈ પણ સમજાય તે પહેલા ત્રણેય વાહનો બળીને ખાખ (Gutted) થઈ ગયા હતા.
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 વાહનોમાં ભભૂકી આગ
ખુલ્લામાં પાર્ક કરેલી 2 કાર અને 1 જીપ આગમાં બળીને ખાખ
આગની જ્વાળાઓને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા
ભરચક બજાર વિસ્તારમાં આગની ઘટનાથી લોકોના ટોળા ઉમટ્યા
પાર્કિંગમાં લાગેલી આગમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી
બજાર વચ્ચે વાહનો… pic.twitter.com/BHscQczqxo— Gujarat First (@GujaratFirst) April 20, 2026
મોટી જાનહાનિ ટળી
ઘટનાની જાણ થતા જ પાલનપુર ફાયર વિભાગની (Fire Department) ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ (Control) મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટના સમયે વાહનોમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે. હાલ આ પર કાબૂ મેળવાયો છે.
આગનું કારણ હજુ અકબંધ
ભરચક બજારમાં લાગેલી આ આગના કારણે લોકોના ટોળેટોળા (Crowd) ઉમટી પડ્યા હતા. જોકે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી કે અન્ય કોઈ કારણસર, તે રહસ્ય (Mystery) હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.
આ પણ વાંચોઃ Banaskantha: 10 વર્ષ બાદ મળેલી શિક્ષક મંડળીની સાધારણ સભામાં હોબાળો, સભાસદો અને પ્રમુખ આમને-સામને


