Vav-Tharad: મૈત્રી કરારથી કજિયો! યુવક સાથે રહેતી યુવતીને ઉઠાવી ગયો પરિવાર!
- Vav-Tharad માં યુવતીના અપહરણનો મામલો
- વાયરલ વીડિયો 28 ડિસેમ્બરનો હોવાનું સામે આવ્યું
- મૈત્રી કરાર કરી યુવતી યુવકના ઘરે રહેતી હતી
Vav-Tharad Kidnapping Case: વાવ અને થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં 10 થી વધુ શખ્સો હથિયારો સાથે એક ઘરમાં ઘૂસીને યુવતીનું જબદસ્તીથી અપહરણ (Kidnapping) કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના ગત 28 ડિસેમ્બરના રોજ ઉચપા ગામે બની હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો? (Kidnapping Case)
મળતી માહિતી મુજબ વાવ-થરાદ વિસ્તારના એક યુવક અને યુવતીએ અંદાજે એક મહિના પહેલા પોતાની મરજીથી મૈત્રી કરાર (Live-in Relationship) કર્યા હતા. સમાજના ડરથી અને સુરક્ષાના કારણોસર આ યુગલ યુવકના મામાના ઘરે થરાદના ઉચપા ગામે (Uchpa village) રહેતું હતું. યુવતી પોતાના પરિવારની મરજી વિરુદ્ધ યુવક સાથે રહેતી હોવાથી તેના સંબંધીઓ રોષે ભરાયા હતા.
આ પણ વાંચોઃ Surat: બંધ ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી? પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કે કંઈ બીજું?
દરવાજો તોડી યુવતીનું અપહરણ!
ગત 28 ડિસેમ્બરના રોજ જ્યારે યુગલ ઘરમાં હાજર હતું, ત્યારે અચાનક યુવતીના પક્ષના 10 થી વધુ લોકો હથિયારો સાથે ત્યાં પહોંચી ગયા હતા. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ શખ્સોએ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને જબરદસ્તીથી ઘરમાં પ્રવેશ્યા હતા. યુવતી બચાવ માટે બૂમો પાડી રહી હતી, તેમ છતાં આ શખ્સોએ તેની એક પણ સાંભળી નહોતી અને અપહરણ કરી લઈ ગયા હતા. જે ઘટનનાનો હાલ વીડિયો વાયરલ (Video viral) થયો છે.
Vav Tharad | મૈત્રી કરાર પર રહેતી યુવતીનું ઘરમાં ધૂસી અપહરણ કરવામાં આવ્યું! | Gujarat First
વાવ-થરાદમાં યુવતીના અપહરણનો વીડિયો વાયરલ
હથિયારો સાથે ઘરમાં ધૂસી યુવતીનું અપહરણ કર્યું
યુવતીને અપહરણ કરી લઈ જતા હોવાનો વીડિયો વાયરલ
ઘરનો દરવાજો તોડીને અપહરણ કરતો વીડિયો વાયરલ થયો… pic.twitter.com/pJJqFxLPjF— Gujarat First (@GujaratFirst) January 10, 2026
Vav-Tharad: પોલીસ ફરિયાદ અને કાર્યવાહી
અપહરણની આ ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ આ બાબતે હિંમત દાખવીને ગત 1 જાન્યુઆરીના રોજ પોતાના જ સંબંધીઓ સહિત 10 થી વધુ લોકો વિરુદ્ધ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી. અરજીમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનું મૈત્રી કરાર બાદ જબરદસ્તીથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને શારીરિક-માનસિક ત્રાસ આપવાની કોશિશ કરવામાં આવી હતી.


