Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
Banaskantha માં નોળિયો કરડ્યા બાદ મહિલાનું મોત
મળતી માહિતી મુજબરાજસ્થાનની આ મહિલાને દોઢ મહિના પહેલા નોળિયો કરડ્યો હતો, પરંતુ તે સમયે યોગ્ય કાળજી ન લેવાતા તેને ગંભીર હડકવા (રેબીઝ) ના લક્ષણો દેખાયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ કિસ્સામાં મહિલાએ નોળિયો કરડ્યા બાદ હડકવાની રસીનો માત્ર એક જ ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે, જે તેના મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા
ઘટનાની વિગત મુજબ, મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો જણાતા તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી અને હડકવાના પરીક્ષણ માટે જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
એક નાની ભૂલનું જીવલેણ પરિણામ
તબીબોએ જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હોવા છતાં, અંતે સારવાર દરમિયાન મહિલાએ દમ તોડ્યો હતો. એક નાની ભૂલ અને અધૂરી સારવારને કારણે બનેલી આ ઘટનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Kutch News: કચ્છના પાનધ્રોમાં વહીવટી તંત્રનું મેગા ઓપરેશન, લાખોની સરકારી જમીન દબાણમુક્ત