Gujarat News Today: આજે 15 જુલાઈ 2026, બુધવારની સવાર ગુજરાત માટે અનેક મહત્વના સમાચાર લઈને આવી છે. એક તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra) ને લઈને રાજ્યભરમાં ભક્તિમય વાતાવરણ જામ્યું છે અને વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત છે, તો બીજી તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠક (Cabinet Meeting) માં અનેક મહત્વના નીતિગત નિર્ણયો લેવાઈ શકે છે.
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક સવારે 10 વાગે મળશે. રથયાત્રાની તૈયારીઓની આખરી સમિક્ષા થશે. રાજ્યભરમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને અમદાવાદ શહેર માં થયેલી વ્યવસ્થા પર થશે સમિક્ષા, રાજ્યમાં વરસાદની સ્થિતિ પર થશે સમિક્ષા, વરસાદ બાદ થયેલા નુકશાન અને સહાય બાબતે સમિક્ષા થશે, સુરતમા પુરના કારણે થયેલ નુકશાની વળતર અંગે પણ સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાષ્ટ્રિય રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટનું ઉદ્ઘાટન, ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા કરશે. અમદાવાદ રથયાત્રા પૂર્વે મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક આજે મળશે.
અમદાવાદ
આજે ગુજરાત કોંગ્રેસ નેતાઓ બપોર 3 વાગે ભગવાન જગન્નાથ રથનું પૂજન કરવા આવશે.સાથે અન્ય રાજકીય પાર્ટીના નેતા પણ ભગવાન જગન્નાથ મંદિર દર્શનનો લાભ લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે ભગવાન જગન્નાથ માટે જાંબુ,બોર,કેરી સહિતનો પ્રસાદ મોકલે છે તે આજે સાંજે 5 વાગ્યાની આસપાસ તે પ્રસાદ આવશે.
સુરત
ગુરુવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મુખ્ય આઠ જેટલી રથયાત્રા નીકળવાની છે.જે રથયાત્રા ને લઈ શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પૂરતા પોલીસ સ્ટાફની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.આ સાથે મંદિરોમાં પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.મંદિરોમાં શણગાર,પ્રસાદી માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટ
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ મનપા દ્વારા તપાસ કમિટી ની રચના કરવામાં આવી છે જોકે આ તપાસ કમિટી દ્વારા આટલા દિવસમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી 15 વીતી ગયા છતાં પણ કોઈ પણ પ્રકારની તપાસ શરૂ કરવામાં નથી આવી ત્યારે શું તપાસ કમિટી પણ ભ્રષ્ટ છે કે પછી મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની સંડોવણી હોવાને લીધે દબાણ ? આ મામલે કમિટીના અધ્યક્ષ તરીકે PGVCLના MDની નિમણૂક કરવામાં આવી છે તેની બાઈટ સાથે અપડેટ સ્ટોરી
જામનગર
આજે જામનગરમાં પાણી કાપ: બુધવાર, 15 જુલાઈના રોજ રણજીતનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. રણજીતનગર ખાતે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં સ્કાડા સિસ્ટમ હેઠળ ફ્લોમીટર અને પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટના જોડાણની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાશે.પંચવટી વિસ્તાર, મારૂતિનગર, રાજનગર, કામદાર કોલોની, મકવાણા સોસાયટી અને જનતા સોસાયટીના રહીશોને પાણી નહીં મળે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો રીંગણાની ખેતી કરી રહ્યા છે. રીંગણાનું બમ્પર ઉત્પાદન થવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં 1 કિલો રીંગણાના માત્ર 3 થી 5 રૂપિયા જેટલા ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે ઉત્પાદન વેચવું પણ નુકસાનકારક બન્યું છે. પરિણામે અનેક ખેડૂતો બજારમાં લઈ જવાના બદલે ખેતરમાં જ રીંગણા ફેંકી તેનો નાશ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે હાલની સ્થિતિમાં મજૂરી, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી, જેના કારણે ભારે નિરાશા છવાઈ છે.
નવસારી
નવસારીના ગણદેવીની સુગર ફેક્ટરી આખા દેશમાં સૌથી વધુ ભાવ આપવા માટે જાણીતી છે. જેની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં જે પ્રભાવી મતદારો છે તે મોટાભાગના વિદેશ જઈને વસેલા છે. જેથી આ વખતે મતદારો શું વિદેશથી મતદાન કરવા આવશે કે કેમ સાથે જ આ વખતે શું ભાજપ ચૂંટણીમાં મેન્ડેડ પદ્ધતિ લાવશે કે કેમ તે અંગેનો વિગતવાર અહેવાલ કરીશું
સુરત
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી યોજાશે. કુલ 16 બેઠકો પૈકી નવ બેઠક પર ચૂંટણી યોજાશે, 7 બેઠક બિનહરીફ થઈ હતી, સવારે 9:00 વાગ્યા થી સાંજે 4:00 વાગ્યા સુધી મતદાન યોજાશે. 17 તારીખે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે, ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચુકી છે. સામે કોંગ્રેસના ઉમેદવારો પણ 9 બેઠક પર ટક્કર આપશે.
બનાસકાંઠા
જુનાડીસા ગામમાં આજથી એક મહિના અગાઉ ગામમાં થયેલા મામલે ગામનો યુવાન વસીમ ચાવડા ધરણા ઉપર બેઠો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે એક મહિનામાં તેમને 15 વર્ષનો તમામ હિસાબ આપવામાં આવશે પરંતુ તંત્ર દ્વારા હવે પૂરતો હિસાબ આપવામાં નથી આવ્યો ત્યારે વસીમ ચાવડા ફરી જુનાડીસા ગ્રામ પંચાયત આગળ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે . તેમની માંગ છે કે તેમની સામે કડકવાયારે કાર્યવાહી કરવામાં આવે અને હિસાબ આપવામાં આવે જેને લઈને સ્ટોરી બની શકે તેમ છે.
આ પણ વાંચો : Rashifal 15 july 2026 : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શું કહે છે તમારી રાશિ?