Vav Tharad Rupublic Day : વાવ-થરાદમાં પ્રથમવાર રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી
- વાવ થરાદમાં 77માં ગણતંત્ર દિવસની કરાઇ ઉજવણી
- રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, CM ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યાં હાજર
- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પણ રહ્યાં ઉપસ્થિત
- સ્થાનિક ધારાભ્ય તરીકે શંકર ચૌધરીએ માન્યો આભાર
- CM ભૂપેન્દ્રભાઇએ વાવ થરાદને આપી વિકાસભેટઃ શંકરભાઇ
- વાવ થરાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયાઃ શંકરભાઇ
Vav Tharad Rupublic Day : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના નવનિર્મિત વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લામાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી (State Level Celebration) અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થઈ. ઇતિહાસમાં પ્રથમ વખત આ સરહદી જિલ્લામાં રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાયો હતો, જે સ્થાનિક રહેવાસીઓ માટે ગર્વની ક્ષણ બની રહી. મલુપુર ખાતે આયોજિત આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat), મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel) અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Speaker Shankar Chaudhary) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Vav Tharad: "વાવ થરાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા" | Gujarat First
વાવ થરાદમાં 77માં ગણતંત્ર દિવસની કરાઇ ઉજવણી
રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, CM ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યાં હાજર
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પણ રહ્યાં ઉપસ્થિત
સ્થાનિક ધારાભ્ય તરીકે શંકર ચૌધરીએ માન્યો આભાર
CM… pic.twitter.com/zDHzkyyNS1— Gujarat First (@GujaratFirst) January 26, 2026
Vav Tharad Rupublic Day : તિરંગાને સલામી અને સાંસ્કૃતિક કાર્યક્રમો
સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મલુપુર ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપી હતી. ત્યારબાદ આકર્ષક પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને 'સરહદનો સાદ - નૂતન વાવ-થરાદ' થીમ પર આધારિત મલ્ટીમીડિયા પ્રોગ્રામ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેમાં સરહદી વિસ્તારની અનોખી સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
વિકાસની નવી ઓળખ અને કરોડોની ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે વાવ-થરાદ પંથકને વિકાસની નવી ઓળખ આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે સ્થાનિક જનતાનો આભાર માન્યો અને જિલ્લાના માળખાકીય વિકાસ માટે કરોડો રૂપિયાના કામોની ભેટ આપી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, "જિલ્લાની રચના બાદ સરકારે રસ્તા, પાણી, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે. પૂર જેવી મુશ્કેલ સ્થિતિમાં પણ સરકારે ઝડપથી રાહત અને વિકાસ કાર્યો પહોંચાડ્યા છે."
બહાદુર જવાનોનું સન્માન અને મેડલ એનાયત
આ ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલે અને મુખ્યમંત્રીએ શિસ્ત અને સમર્પણ દાખવનાર સુરક્ષા જવાનોનું સન્માન કર્યું હતું. હોમગાર્ડ્સ, બોર્ડર વિંગ અને ગ્રામ રક્ષક દળ (Gram Rakshak Dal - GRD) ના કુલ 43 જવાનોને ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. જેમાં વજીરભાઈ ઉમરભાઈ બ્લોચને વિશિષ્ટ સેવા બદલ 'રાજ્યપાલ ચંદ્રક' આપી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Gir Somnath: તાલાલામાં 77 મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ લહેરાવ્યો તિરંગો


