Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Songadh: શિક્ષણધામ કે ટોર્ચર સેન્ટર? સાચવજો! તમારા બાળકની શાળામાં પણ આવા 'હિંસક' શિક્ષકો તો નથી ને?

Teacher Beats Student: સોનગઢ (Songadh) પ્રાથમિક શાળાના એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને માત્ર પેન્સિલ બાબતે નિર્દયતાથી માર મારતા ચકચાર મચી છે. ગંભીર ઈજા પામેલા બાળકને હોસ્પિટલ ખસેડાયો છે. શિક્ષકે વાલીઓને ધમકાવી બાળકને ચોરીના કેસમાં ફસાવવાની ધમકી આપતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરિવાર હવે ન્યાયની માગ કરી રહ્યો છે.
songadh  શિક્ષણધામ કે ટોર્ચર સેન્ટર  સાચવજો  તમારા બાળકની શાળામાં પણ આવા  હિંસક  શિક્ષકો તો નથી ને
Advertisement
  • Songadh Primary School ના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર
  • સામાન્ય પેન્સિલ લેવા બાબતે વિદ્યાર્થીને માર્યો માર
  • ધોરણ 4માં અભ્યાસ કરતા માસૂમને માર માર્યાનો આરોપ
  • ગંભીર ઈજાઓ પહોંચતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
  • વાલી ઠપકો આપવા જતા શિક્ષકે આપી ધમકી
  • વિદ્યાર્થીને ચોરીના કેસમાં ફસાવવાની અપાઈ ધમકી
  • શિક્ષકના અમાનવીય વર્તનથી વાલીઓમાં ભારે રોષ
  • પીડિત વિદ્યાર્થીના પરિવારે ન્યાય માટે કરી માગ

Songadh School Violence: વાવ-થરાદ જિલ્લાના સોનગઢ (Songadh) તાલુકાની એક પ્રાથમિક શાળામાં (Primary School) માનવતા લજવાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે (Teacher) પોતાની મર્યાદા ઓળંગીને ધોરણ 4 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને (Student) નિર્દયતાથી માર માર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શિક્ષણ જગત પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય પેન્સિલ બની વિવાદનું કારણ

મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદ માત્ર એક સામાન્ય પેન્સિલ (Pencil) લેવા જેવી નાની બાબતે શરૂ થયો હતો. શિક્ષકે આવેશમાં આવીને માસૂમ બાળક પર હાથ ઉપાડ્યો હતો. શિક્ષકનો ગુસ્સો એટલો હદબહાર હતો કે બાળકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવાની ફરજ પડી હતી.

Advertisement

Advertisement

વધારે બોલશે તો તે વિદ્યાર્થીને ચોરીના કેસમાં ફસાવી દઇશ

જ્યારે પીડિત વિદ્યાર્થીના વાલીઓ (Parents) આ બાબતે સ્કૂલ પર જઈને શિક્ષકને ઠપકો આપવા પહોંચ્યા, ત્યારે શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અહંકારી વલણ અપનાવ્યું હતું. શિક્ષકે વાલીઓને ધમકી આપી હતી કે જો તેઓ વધારે બોલશે તો તે વિદ્યાર્થીને ચોરીના (Theft) ખોટા કેસમાં ફસાવી દેશે. એક શિક્ષક દ્વારા આપવામાં આવેલી આવી નીચલા સ્તરની ધમકીથી વાલીઓ આઘાતમાં સરી પડ્યા છે.

વાલીઓમાં ઉગ્ર રોષ

આ અમાનવીય વર્તનને પગલે સોનગઢના ગ્રામજનો અને વાલીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. પીડિત પરિવારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની (Justice) માગ કરી છે. સવાલ એ ઉઠે છે કે શું પેન્સિલ લેવી એટલો મોટો ગુનો છે કે બાળકને હોસ્પિટલ ભેગો કરી દેવાય? શું આવી શિસ્તથી શિક્ષણનું સ્તર સુધારશે? આવા સવાલો સાથે શિક્ષણ વિભાગ (Education Department) આ હિંસક શિક્ષક સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

માસૂમ બાળક પર આવો અત્યાચાર કરતા શરમ ન આવી?

શું એક નાનકડી ભૂલ માટે બાળકને શારીરિક કે માનસિક યાતના આપવી એ જ શિક્ષણ છે? પેન્સિલ જેવી સામાન્ય વસ્તુ લેવી એ શું એટલો મોટો ગુનો છે કે તેના માટે બાળકના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવે?

શિક્ષણ જગત માટે આત્મમંથનનો સમય પાકી ગયો

શિક્ષણ જગત માટે આજે આત્મમંથનનો સમય પાકી ગયો છે. જ્યારે એક ગુરુ સજાના નામે સીમા ઓળંગે છે, ત્યારે માત્ર એક બાળક નથી રડાતું, પણ સમગ્ર માનવતા અને નૈતિકતા પર સવાલો ઊભા થાય છે. સમાજ આજે રોષે ભરાઈને પૂછી રહ્યો છે કે, એક માસૂમ બાળક પર આવો અમાનવીય અત્યાચાર કરતા તમને સહેજ પણ શરમ ન આવી? જે હાથોમાં પુસ્તક અને કલમ હોવી જોઈએ, ત્યાં સોટી કે માનસિક ત્રાસ જોઈને ભવિષ્યની પેઢી થથરી રહી છે.

સૌથી ગંભીર પ્રશ્ન તો એ છે કે વિદ્યાર્થીને ચોરીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી કેમ આપવામાં આવી? શું શિક્ષણ સંસ્થા હવે ભય બતાવીને શાસન કરવાનું કેન્દ્ર બની ગઈ છે? શિસ્તના નામે ડરનું સામ્રાજ્ય ઊભું કરવું એ ક્યાંનો ન્યાય છે? એટલું જ નહીં, જ્યારે જાગૃત વાલીઓ પ્રશ્ન પૂછવા આવે છે, ત્યારે તેમને ધમકાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? વાલી અને શિક્ષક વચ્ચેનો સંવાદ આદરપૂર્ણ હોવો જોઈએ, નહીં કે દાદાગીરીભર્યો.

શાળામાં બાળકો ભણવા આવે છે કે માર ખાવા?

શું તમારી આવી કઠોર શિસ્તથી શિક્ષણનું સ્તર ખરેખર સુધરશે ખરું? ડરથી માત્ર ગુલામો પેદા થાય છે, જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ નહીં. શાળામાં બાળકો ભણવા આવે છે કે માર ખાવા? જો બાળક વિદ્યાધામમાં પણ સુરક્ષિત નથી, તો તે ક્યાં જશે? માત્ર એક પેન્સિલ લેવી એ શું એટલો મોટો ગુનો છે કે તેના બદલામાં બાળકનું માનસિક સંતુલન બગાડી દેવામાં આવે?

આવી ઘટનાઓ પછી પ્રશ્ન થાય છે કે શું તમારી નૈતિકતા અને માનવતા સાવ મરી પરવારી છે? શું તમે તમારી આ ગંભીર ભૂલ અને નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર છો? શિક્ષણ એ સંસ્કારનું સિંચન છે, દમનનું સાધન નથી. જો આજે આ પ્રશ્નોના ઉત્તર નહીં શોધાય, તો શિક્ષણ જગત પરનો વિશ્વાસ કાયમ માટે ડગી જશે.

આ પણ વાંચો: Banaskantha: તું ચોર છે કહી રિક્ષાચાલકને ટોળાએ બેરહેમીથી માર માર્યો, દાંતાના ભેમાળ ગામ નજીકની ઘટના

Tags :
Advertisement

.

×