Vav Tharad : દિયોદરના પાલડીમાં જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસને પાકિસ્તાન અને આંતકવાદી સાથે સરખાવી
- Vav Tharad ના દિયોદરના પાલડીમાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે આપ્યું નિવેદન
- કોંગ્રેસને પાકિસ્તાન અને આંતકવાદી સાથે સરખાવી
- પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને છે- નરેશ ઠાકોર
- જ્યારે ભારત દેશ અને આપણા વિસ્તારનો નાગરિક રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે-નરેશ ઠાકોર
- આ વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો આપણું યુવાધન ન ભટકે એ ચિંતા કરજો
Vav Tharad : બનાસકાંઠા (banaskantha) ના દિયોદર (diyodar) ના પાલડીમાં જિલ્લા ભાજપ ( bjp ) પ્રમુખ નરેશ ઠાકોરે, આપ્યું નિવેદન જેમાં નરેશ ઠાકોરે કોંગ્રેસને પાકિસ્તાન અને આંતકવાદી સાથે સરખાવી છે, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને છે તેવું નિવેદન નરેશ ઠાકોરે આપ્યું છે. અને જ્યારે ભારત દેશ અને આપણા વિસ્તારનો નાગરિક (citizen) રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે.
Vav Tharad નપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા જ મેદાનમાં ભાજપના ઉમેદવાર જશીબેન નાઈ એકમાત્ર પ્રબળ ઉમેદવાર રહી ગયા હતા. અન્ય કોઈ હરીફ ન હોવાથી ચૂંટણી અધિકારીએ જશીબેન નાઈને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલા જ ભાજપે એક બેઠક પર કબજો જમાવી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસને લઈને કરાયું વિવાદિત નિવેદન
નરેશ ઠાકોરે પોતાના ભાષણમાં કોંગ્રેસની તુલના પાકિસ્તાન અને આતંકવાદ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં યુવાઓ રસ્તો ભટકે તો તે આતંકવાદી બની જાય છે, જ્યારે ભારતમાં અથવા આપણા વિસ્તારમાં કોઈ યુવક ભટકે તો તે કોંગ્રેસી બની જાય છે. vav tharad માં ચૂંટણીનો માહોલ જામ્યો છે.
Vav Tharad જિલ્લો ગુજરાતનો નવો જિલ્લો બન્યો છે
વાવ-થરાદ જિલ્લો ગુજરાતનો 34 મો જિલ્લો છે, જેની રચના 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠાના વિભાજનથી કરવામાં આવી છે. થરાદ તેનું વહીવટી મથક છે.આ જિલ્લામાં વાવ, થરાદ, ભાભર, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર અને કાંકરેજ જેવા ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરાયા છે.
આ પણ વાંચો : Vav Tharad: દિયોદરના પૂર્વ ધારાસભ્યે ઠાલવી વ્યથા, લોકો માટે ઘસાઇ જવાનું રૂપિયા ખિસ્સાના વાપરવાના


