Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana Dham: લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો, પુત્ર જયરાજ પર આરોપ!

Bagdana Dham: બગદાણા ધામ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 24 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા.
bagdana dham  લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો  પુત્ર જયરાજ પર આરોપ
Advertisement
  • Bagdana Dham: લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક
  • સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • મુંબઈમાં કાર્યક્રમમાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા

Bagdana Dham: બગદાણા ધામ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 24 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા. જેને લઈ સેવક નવનીતભાઈએ ધ્યાન દોર્યુ કહ્યું હતું કે બગદાણા ધામમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. જેથી માયાભાઈએ બગદાણા ધામની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો.

લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો

લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો છે. માયાભાઇનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. તેમાં માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર શખ્સ પર હુમલો થયો છે. મેનેજીંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર હુમલો થતા ચકચાર મચ્યો છે. જેમાં બગદાણાના નવનીતભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. તેમાં નવનીતભાઈ પર હુમલાનો વીડિયો પણ સામે આવ્યા છે. હુમલા અંગે માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર આરોપ છે. રાજનીતિમાં આવતા પૂર્વે જ જયરાજ પર દાદાગીરીનો આરોપ છે. સાચું શું, ખોટું શું તેની પોલીસે તપાસ કરવી જરૂરી છે.

Advertisement

Advertisement

Bagdana Dham: મુંબઈના કાર્યક્રમમાં માયાભાઇના નિવેદન બાદ વિવાદ સર્જાયો

મુંબઈના કાર્યક્રમમાં માયાભાઇના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. બગદાણાધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં વીડિયો મુદ્દે નવનીતભાઈએ માયાભાઇને ફોન કરી વાત કરી હતી. અહીં માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજીંગ ટ્રસ્ટી નથી તેમ જણાવ્યું હતુ. જે બાબતે માયાભાઇએ માફી સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો. માયાભાઈનો માફીનો વીડિયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. જેમાં માફીનો વીડિયો વાયરલ થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો છે. નવનીતભાઈને મળવા બોલાવી ધોકા વડે બે વખત હુમલો કર્યો હતો. સેવક નવનીતભાઈ હાલ હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તથા સમગ્ર મામલે બગદાણા પોલીસે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે

વાયરલ ઓડિયો ક્લીપમાં સેવક નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચે વાતચીત છે. જેમાં માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર મારામારીનો આરોપ છે. કથિત જયરાજ આહીર અને સેવક નવનીત વચ્ચે વાતચીતનો પણ ઓડિયો છે. ગુજરાત ફર્સ્ટ તમામ વાયરલ ઓડિયો ક્લીપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. તથા ઓડિયો ક્લીપના તથ્ય સહિત તટસ્થ તપાસમાં મોટો ધડાકો થઈ શકે છે. સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે.

આ પણ વાંચો: Flower Show: અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે, જાણો આ વખતે શું છે નવું

Tags :
Advertisement

.

×