Bagdana:સુરતથી મહુવા હોસ્પિટલ પહોંચ્યો 100 વાહનોનો કાફલો, કોળી સમાજના આગેવાનોએ કરી મોટી માંગ
- બગદાણાના (Bagdana) 'બખેડા'માં આજના મોટા સમાચાર
- સુરતથી નીકળેલો કાફલો પહોંચ્યો મહુવા હોસ્પિટલમાં
- 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા
- કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈની કરી મુલાકાત
- મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માગ સાથે કરી મુલાકાત
- કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા
- ન્યાયની માગ સાથે પીડિત નવનીતભાઈને આપી સાંત્વના
Bagdana: ગુજરાતના ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં (Mahuva) આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં (Bagdana Guru Aasharam) થયેલા હુમલાના વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે એટલો ઉગ્ર બન્યો છે તેમાં નેતાઓ અને સમાજના લોકો પણ ખુલીને સામે આવી રહ્યા છે ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો જે હાલમાં મહુવા હોસ્પિટલમાં પહોંચ્યો છે.
સુરતથી નીકળેલો કાફલો પહોંચ્યો મહુવા હોસ્પિટલમાં
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમના સેવક અને કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર 29 ડિસેમ્બર 2025ની રાત્રે થયેલા જીવલેણ હુમલાના મામલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આજે સુરતથી નીકળેલો 100થી વધુ વાહનોનો વિશાળ કાફલો મહુવાની હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં હુમલામાં ગંભીર રીતે ઘાયલ નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે.તેઓએ હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી. આ તકે કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈ પાસેથી માહિતી મેળવી અને ન્યાયની માંગ સાથે વધુ કાર્યવાહીની માંગ કરી છે મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માગ પણ કરી હતી. આ દરમિયાન કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા હતા.
ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ
આ ઘટનાએ કોળી સમાજમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. અગાઉ કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને મળીને તપાસ માટે SIT રચનાની માંગ કરી હતી, જેના પગલે સરકારે SITની રચના કરી છે. આજના કાફલા સાથે કોળી સમાજે ફરી એકવાર પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું છે.
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સામે છે આરોપ
આ વિવાદની શરૂઆત થઈ જ્યારે નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના (Mayabhai Aahir) પુત્ર જયરાજ આહીર (Jayraj Aahir) વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યા છે.નવનીતભાઈના આરોપ અનુસાર, જયરાજ આહીર અને તેમના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે એક ઓડિયો અને વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં જયરાજ આહીર અને સરપંચ વચ્ચેની વાતચીત સામે આવી છે. આ વાયરલ ક્લિપ્સથી વિવાદ વધુ વકર્યો છે અને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: Surat માં ફરી ડ્રગ્સનો પર્દાફાશ, શાકભાજીના વેપારી પાસેથી મળ્યું લાખોનું MD ડ્રગ્સ


