Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસથી આક્રોશ

ભાવનગર, બોટાદ અને અમરેલીની 135 સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સ વિભાગે 150 કરોડની નોટિસ ફટકારી છે. નજીવા નફા સામે કરોડોની નોટિસ આવતા મંડળીઓમાં ફફડાટ છે. દિહોર, પાટણા અને સોડવદરા જેવી મંડળીઓ મુખ્ય અસરગ્રસ્ત છે. સિદસર મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયા સહિતના હોદ્દેદારોએ આ કાર્યવાહીનો વિરોધ કરી આવતીકાલે ભાવનગર ઇન્કમ ટેક્સ કચેરીએ આવેદન પત્ર આપવાની જાહેરાત કરી છે.
bhavnagar  સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસથી આક્રોશ
Advertisement
  • Bhavnagar: સહકારી મંડળીઓને ઈન્કમ ટેક્સની 150 કરોડની નોટિસ
  • ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 135 નોટિસ ફટકાઈ
  • માત્ર 17 હજાર નફા સામે 6 કરોડ નોટિસ

Bhavnagar: સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને કારણે ભારે ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જાયું છે. ભાવનગર (Bhavnagar), બોટાદ (Botad) અને અમરેલી (Amreli) જિલ્લાની અંદાજિત 135 જેટલી સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુલ 150 કરોડ રૂપિયાથી વધુની રકમની નોટિસો ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી ભાવનગર સહકારી બેંક પાસેથી મેળવેલા લેવડ-દેવડના આંકડાઓના આધારે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સહકારી સંઘોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Bhavnagar: માત્ર 17 હજાર નફા સામે 6 કરોડ નોટિસ

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકારણી અત્યંત આશ્ચર્યજનક અને અસંગત હોવાની ફરિયાદો ઉઠી છે. આક્ષેપ છે કે માત્ર 17 હજાર રૂપિયાના નજીવા નફા સામે એક મંડળીને 6 કરોડ રૂપિયાની માતબર રકમની નોટિસ આપવામાં આવી છે. આ જ પ્રકારની કાર્યવાહી અન્ય મંડળીઓ સાથે પણ થઈ છે, જેમાં દિહોર સેવા સહકાર મંડળીને 20 કરોડ રૂપિયાની, પાટણા મંડળીને 11 કરોડ રૂપિયાની અને સોડવદરા સેવા સહકાર મંડળીને 9 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. આટલી જંગી રકમની નોટિસો મંડળીઓના અસ્તિત્વ સામે મોટું સંકટ ઊભું કરે તેમ છે.

Advertisement

ઈન્કમ ટેક્ષની કાર્યવાહીમાં રોષ

આ અન્યાયી કાર્યવાહીના વિરોધમાં સહકારી મંડળીઓના સંચાલકો એકજૂથ થયા છે. સિદસર જૂથ સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયા સહિતના અનેક હોદ્દેદારોએ આ નોટિસોને તર્કહીન ગણાવી તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. મંડળીઓના પ્રમુખોની માંગ છે કે ઇન્કમ ટેક્સ વિભાગે પોતાની આ કાર્યવાહી પર પુનર્વિચાર કરવો જોઈએ. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા અને તંત્રનું ધ્યાન દોરવા માટે તમામ મંડળીઓના પ્રતિનિધિઓ આવતીકાલે ભાવનગર ખાતે એકત્રિત થઈને ઇન્કમ ટેક્સ અધિકારીને આવેદન પત્ર સુપરત કરશે.

Advertisement

 આ પણ વાંચો: Bhavnagar: સરતાનપર દરિયામાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનું મોત

Tags :
Advertisement

.

×