Bhavnagar Rath Yatra 2026: રાજવી પરિવારે કરી પવિત્ર પહિંદવિધિ, 18 કિમીના માર્ગ પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Bhavnagar Rath Yatra 2026: ભાવનગર (Bhavnagar) માં ભગવાન જગન્નાથની 41મી રથયાત્રાનો સાધુ-સંતોની હાજરીમાં ભવ્ય પ્રારંભ થયો છે. રાજવી પરિવાર (Royal Family) દ્વારા પહિંદવિધિ કરાયા બાદ આર્મીના જવાનોએ રથને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 18 કિમીના રૂટ પર નીકળેલી આ યાત્રામાં જીપીએસ (GPS) અને સીસીટીવી જેવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
Advertisement
Bhavnagar Rath Yatra 2026: અષાઢી દૂજના પાવન પર્વે ગોહિલવાડની ઐતિહાસિક નગરી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા (41st Rath Yatra) નો અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાવનગરના વિવિધ સાધુ-સંતો અને અગ્રણી રાજકીય નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રારંભ પૂર્વે ભારતીય સેના એટલે કે આર્મીના જવાનો દ્વારા ભગવાન જગન્નાથજીના રથને ગરિમાપૂર્ણ રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યો હતો, જે આ વખતની યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું છે.

