Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar: પાલીતાણામાં પકડાયો ઓક્સિટોસિન ઇન્જેકશનનો જથ્થો, આ ઝેરી દવા મનુષ્ય અને પશુ બંને માટે છે જોખમી

આધુનિક યુગમાં પશુઓ વધુ દૂધ આપે તેના માટે અનેક ઈન્જેક્શન અને દવાઓ મળે છે. પરંતુ તેના ઉપયોગ માટે સરકારે કેટલાક નિયંત્રણ લગાવ્યા છે. અને તેમાય કેટલાક ઈન્જેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે આ દવાઓ પશુઓ માટે તો જોખમી છે જ, સાથે જ મનુષ્ય માટે પણ જોખમી છે. ક્યાથી કઈ પ્રતિબંધિત દવા પકડાઈ છે. આવો જાણીએ...
bhavnagar  પાલીતાણામાં પકડાયો ઓક્સિટોસિન ઇન્જેકશનનો જથ્થો  આ ઝેરી દવા મનુષ્ય અને પશુ બંને માટે છે જોખમી
Advertisement
  • Bhavnagar: પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનું વેચાણ!
  • ભાવનગર SOG એ કર્યો પર્દાફાશ
  • સાહિલ પ્રોવિઝન સ્ટોરમાંથી મળ્યો શંકાસ્પદ જથ્થો
  • સ્ટોર સંચાલકની પોલીસે કરી ધરપકડ
  • લેવાયેલા સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા

Bhavnagar: ભાવનગરમાં પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશન (Oxytocin injection) વેચાણનો પર્દાફાશ થયો છે. ભાવનગર SOGએ જિલ્લાના પાલીતાણામાં કાર્યવાહી કરી છે. પાલિતાણામાં આવેલા સાહિલ પ્રોવિઝન સ્ટોર (Provision store) માં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ કરતા પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. પોલીસે લાયસન્સ વગરના ઈન્જેક્શન અને શંકાસ્પદ પ્રવાહી સાથે મળીને 54 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Bhavnagar: સ્ટોર સંચાલની ધરપકડ

ભાવનગર એસઓજીએ સાહિલ પ્રોવિઝન સ્ટોરના સંચાલક સાજીદ સલીમ સરમાળીની ધરપકડ કરી છે. પકડાયેલા શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલને પોલીસે પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલ્યા છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક (Bhavnagar Range Inspector General of Police) ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક (District Superintendent of Police) નિતેશ પાંડેયની કડક સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

Bhavnagar: ઓક્સિટોસિન પર પ્રતિબંધ કેમ છે?

ઓક્સિટોસિન દવા એક પ્રકારનું કેમિકલ છે. જેના ઉપયોગથી પશુઓમાંથી વધુ દૂધ ખેંચી શકાય છે. પરંતુ તે દૂધમાં ભળી જતું હોવાથી મન્યુષ્ય માટે પણ જોખમી છે. દૂધ મારફતે આ ઝેરી કેમિકલ માણસના શરીરમાં પ્રવેશે છે. એક અહેવાલ મુજબ, આ દૂઘ પીવાથી પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ વધે છે. સાથે મહિલાઓમાં લગ્ન બાદ ગર્ભધારણમાં વિલંબનું પ્રમાણ વધે છે. સાથે જ પુરૂષ-મહિલામાં બાહરી લક્ષણોમાં પણ અસર કરે છે.

આ પણ વાંચો---- Amitbhai Shah : કેન્દ્રીય અમિતભાઈ શાહે કોલકત્તામાં RSS અધિકારીઓ સાથે બંગાળ ચૂંટણી પર ઊંડાણપૂર્વક કરી ચર્ચા

આ પણ વાંચો---- Silver: શું ચાંદીનો પરપોટો ફૂટવાનો છે કે ભાવ રૂ.6 લાખ પ્રતિ કિલો સુધી વધશે!

Tags :
Advertisement

.

×