Bhavnagar: મહુવા Dy.SP રીમા ઝાલાને હટાવ્યા, તળાજા Dy.SP નકુમને સોંપાયો ચાર્જ
- Bhavnagar: બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટા સમાચાર
- વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
- મહુવાના Dy.SP રીમા ઝાલાને હટાવાયા
- તળાજા ડિવિઝનના Dy.SP નકુમને સોંપાયો ચાર્જ
Bhavnagar:સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) થયેલા હુમલા કેસમાં અત્યારે રાજકારણ અને પોલીસ તંત્ર ગરમાયેલું છે. આ ચકચારી કેસમાં તપાસમાં ઉચ્ચ કક્ષાએથી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ તપાસમાંથી મહુવાના Dy.SP રીમા ઝાલાને તાત્કાલિક અસરથી દૂર કરાયા છે.
ન્યાયની માંગ
નવનીતભાઈ બાલધિયા કેસમાં ન્યાયની માંગ સાથે રોષ ભભૂક્યો છે તેને જોતા પોલીસ પર ભારે દબાણ છે. અગાઉ પણ આ કેસમાં કેટલાક અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે, ત્યારે હવે મહુવા Dy.SP રીમા ઝાલા (Dy.SP Rima Zala) ને તપાસમાંથી દૂર કરવામાં આવ્યા છે.
બગદાણાના સેવક નવનીત બાલધીયા કેસમાં મોટા સમાચાર
નવનીત બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
મહુવાના Dy.SP રીમા ઝાલાને હટાવાયા
તળાજા ડિવિઝનના Dy.SP નકુમને સોંપાયો ચાર્જ
મહુવાના Dy.SPનો ચાર્જ તળાજા Dy.SP નકુમને સોંપાયો #Bagdana #DySPReemaJhala #DySPNakum #BhavnagarPolice… pic.twitter.com/6koasyzMTq— Gujarat First (@GujaratFirst) January 5, 2026
Dy.SP નકુમને ચાર્જ સોંપાયો
રીમા ઝાલાને હટાવ્યા બાદ હવે આ ચાર્જ તળાજા ડિવિઝનના Dy.SP નકુમને સોંપવામાં આવ્યો છે. Dy.SP નકુમ હવે મહુવા ડિવિઝનનો વધારાનો ચાર્જ સંભાળશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ કેસની તપાસને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાનું માનવામાં આવે છે. નવનીતભાઈ બાલધિયાના પરિવારજનો અને સમર્થકો લાંબા સમયથી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં SIT ની રચના પણ કરી દેવામાં આવી છે. જે આખા કેસની તપાસ કરશે.
માયાભાઈ આહીરના પુત્ર પર આરોપ
ઉલ્લેખનીય છે કે 6 દિવસ અગાઉ બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર 8 વ્યક્તિઓએ લાકડી-ધોકા-પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે આ હુમલો આરોપ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે કરાવ્યો છે.
આ પણ વાંચોઃ LIVE: Bhavnagar: મોટા સમાચાર! નવનીત બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા


