Bhavnagar: મહુવા Dy.SP રીમા ઝાલાને હટાવ્યા, તળાજા Dy.SP નકુમને સોંપાયો ચાર્જ
Bhavnagar: બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા કેસમાં પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરતા મહુવાના Dy.SP રીમા ઝાલાને તપાસમાંથી હટાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ વધુ તેજ બનાવવા માટે તળાજા ડિવિઝનના Dy.SP નકુમને મહુવાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વહીવટી ફેરફારોને પગલે હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં ઝડપી તપાસની શક્યતા છે.
Advertisement
- Bhavnagar: બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટા સમાચાર
- વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
- મહુવાના Dy.SP રીમા ઝાલાને હટાવાયા
- તળાજા ડિવિઝનના Dy.SP નકુમને સોંપાયો ચાર્જ
Bhavnagar:સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) થયેલા હુમલા કેસમાં અત્યારે રાજકારણ અને પોલીસ તંત્ર ગરમાયેલું છે. આ ચકચારી કેસમાં તપાસમાં ઉચ્ચ કક્ષાએથી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ તપાસમાંથી મહુવાના Dy.SP રીમા ઝાલાને તાત્કાલિક અસરથી દૂર કરાયા છે.

