Bhavnagar Ashanthadhara Case: કલેક્ટરની મંજૂરી વગર રૂ. 33 લાખમાં ફ્લેટ વેચનાર સામે પોલીસ એક્શન
Bhavnagar Ashanthadhara Case નો બીજો ઐતિહાસિક ગુનો રજિસ્ટર
કલેક્ટરની મંજૂરી વગર રૂ. 33 લાખમાં ફ્લેટ વેચનાર સામે પોલીસ એક્શન
ભાવનગરના સુરભી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર મિલકત તબદીલનો પર્દાફાશ
અશાંતધારા હેઠળ નિયમો તોડી ફ્લેટ ખરીદ-વેચાણ કરનારા બંને આરોપીઓ ફસાયા
ચંદ્રકાન્તભાઈ અને જીલાનીભાઈ સામે ગુનો રજીસ્ટર, અશાંતધારા ઉલ્લંઘનનો મોટો કેસ
અશાંતધારા ભંગ બદલ એસપી ડૉ. નિતેશ પાંડેયની સખત સૂચના
Bhavnagar Ashanthadhara Case : ભાવનગર (Bhavnagar) શહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસ પ્રશાસને લાલ આંખ કરી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) રાજેન્દ્ર વી. અસારી (Rajendra V. Asari), પોલીસ અધિક્ષક (SP) ડૉ. નિતેશ પાંડેય (Dr. Nitesh Pandey) તેમજ નાયબ પોલીસ અધિક્ષક (DySP) આર.આર. સિંધાલ (R.R. Singhal) દ્વારા અશાંતધારાના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ આદેશના અનુસંધાને ગંગાજળિયા પોલીસ સ્ટેશન (Gangajaliya Police Station) ની ટીમ દ્વારા અશાંતધારા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ ગુજરાત રાજ્યનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળનો બીજો ગુનો રજીસ્ટર થયો હોવાનું સામે આવ્યું છે.
જુની માણેકવાડી વિસ્તારના સુરભી એપાર્ટમેન્ટનો મામલો
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર (Bhavnagar) શહેરના વોર્ડ નં.5, જુની માણેકવાડી વિસ્તાર (Juni Manekwadi Area) માં પ્લોટ નં.58 પર આવેલ 'સુરભી એપાર્ટમેન્ટ' (Surbhi Apartment) ના ત્રીજા માળે ફ્લેટ નં. બી-10 આવેલો છે. આ વિસ્તાર ગુજરાત અશાંતધારા હેઠળ આવતો હોવા છતાં, મિલકતના મૂળ માલિક ચંદ્રકાન્તભાઈ ભગવાનદાસ લંગાળીયા (Chandrakanthbhai Bhagwandas Langaliya) એ કલેક્ટર (Collector) ની કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી કે મંજૂરી લીધા વિના જ આ મિલકત વેચી દીધી હતી. તેમણે કાયદાને નેવે મૂકીને વેચાણ કરવાના ઈરાદે આ આખો ફ્લેટ જીલાનીભાઈ સલીમભાઈ ધોળીયા (Jilanibhai Salimbhai Dholiya) ને રૂ. 33,00,000 ની મસમોટી રકમમાં વેચી આપ્યો હતો.
Bhavnagar Ashant Dhara | Bhavnagar ના Juni Manekwadi Area માં અશાંતધારા ભંગની વધુ એક ફરિયાદ | Gujarat First
ભાવનગર શહેરમાં અશાંતધારા ભંગની વધુ એક ફરિયાદ
જુની માણેકવાડી વિસ્તારમાં અશાંતધારા ભંગનો વધુ એક કિસ્સો
અશાંતધારા હેઠળની મિલકત મંજૂરી વિના વેચતા કાર્યવાહી
સુરભી… pic.twitter.com/DTeP07725K— Gujarat First (@GujaratFirst) May 20, 2026
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદારની ફરિયાદથી ગુનો નોંધાયો
અશાંતધારા વિસ્તારમાં આવતી આ મિલકતની મંજૂરી વગર ગેરકાયદેસર તબદીલ કરવામાં આવી હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું. જે અંગે સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (Executive Magistrate & City Mamlatdar) શ્રી કે.બી. ચાંદલીયા દ્વારા સમગ્ર મામલાની ખરાઈ કરીને ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન (Gangajaliya Police Station) માં આ મિલકત વેચનાર અને ખરીદનાર બંને સામે વિધિવત ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મિલકત વેચનાર ચંદ્રકાન્તભાઈ લંગાળીયા (રહે. બેંક કોલોની, સુભાષનગર) અને મિલકત ખરીદનાર જીલાનીભાઈ ધોળીયા (રહે. જુની માણેકવાડી) વિરુદ્ધ ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ 1986 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગંગાજળિયા પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા
આ ગુનાની આગળની ઊંડાણપૂર્વકની તપાસ ગંગાજળિયા પોલીસ સ્ટેશન (Gangajaliya Police Station) ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એચ.પી. બારડ દ્વારા સંભાળી લેવામાં આવી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર સપાટાબંધ કામગીરીમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર (In-charge PI) એન.એચ. કુરેશી, પીએસઆઈ એચ.પી. બારડ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા. આ ઐતિહાસિક ગુનો નોંધાતા જ ભાવનગર શહેરમાં કાયદા વિરુદ્ધ જઈને ગુપ્ત રીતે મિલકતોની લે-વેચ કરનારા અને અશાંતધારાનો ભંગ કરનારા ભૂમાફિયાઓ અને તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


