Bhavnagar Rath Yatra: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ શરૂ
Bhavnagar Rath Yatra: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન માટે ધ્વજારોહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કાનૂન મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતોએ રથયાત્રા માટે આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતની બીજી સૌથી મોટી આ રથયાત્રા શહેરમાં 17 કિમીનું અંતર કાપીને ભક્તોને દર્શનનો લાભ આપશે. ચાર દાયકા જૂની આ પરંપરા આ વર્ષે વધુ ભવ્ય રીતે ઉજવાશે.
Advertisement
Bhavnagar Rath Yatra 2026: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વર્ષની રથયાત્રાના આયોજનના ભાગરૂપે તાજેતરમાં ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

