Bhavnagar : ભાવનગરવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર, દિવાળી ટાણે જ આ ટ્રેન સંપૂર્ણ રદ!
આ ટ્રેન રદ થતાં માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં (Jammu and Kashmir) યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે.
Advertisement
- Bhavnagar થી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ
- લાંબા અંતરની ટ્રેન તહેવાર સમયે જ રદ કરાતા મુસાફરોને હાલાકી
- માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં યાત્રીઓની મુશ્કેલી વધી
- શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ અમુદ્દત માટે રદ
Bhavnagar : ભાવનગરવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાવનગરથી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરવાનો નિર્ણય કરાયો છે. શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ (Shaheed Captain Tushar Mahajan Janmabhoomi Express) અમુદ્દત માટે રદ કરવામાં આવી હોવાનાં અહેવાલ છે. તહેવાર સમયે જ લાંબા અંતરની ટ્રેન રદ કરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ ટ્રેન રદ થતાં માતા વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં (Jammu and Kashmir) યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે.

