Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: "સામાન્ય દુખાવો છે" કહી ડોક્ટરે ઘરે મોકલ્યા ને મહિલાનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ

ભાવનગરમાં ડો. મલય મકવાણા (Dr. Malay Makwana) દ્વારા ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યા બાદ ઉષાબા ગોહિલનું મોત નીપજ્યું છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે રવિવારે તબિયત બગડવા છતાં ડોક્ટરે સામાન્ય દુખાવો કહી સારવારમાં બેદરકારી દાખવી હતી. ન્યાયની માંગ સાથે પરિવારે હાલ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, જેને પગલે ચકચાર મચી છે.  
bhavnagar   સામાન્ય દુખાવો છે  કહી ડોક્ટરે ઘરે મોકલ્યા ને મહિલાનું મોત  પરિવારના ગંભીર આક્ષેપ
Advertisement
  • Bhavnagar ની હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી દર્દીનું મોત
  • ઉષાબા ગોહિલે પરિવાર હોસ્પિટલમાં કરાવ્યું હતું ઓપરેશન
  • ડો. મલય મકવાણા દ્વારા કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું

Bhavnagar: ભાવનગર શહેરમાંથી તબીબીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક જાણીતી ખાનગી પરિવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ (Ushaba Prahladsinh Gohil) નામની મહિલાનું મોત થઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

Bhavnagar: ઓપરેશન બાદ તબિયત લથડી

મળતી વિગતો અનુસાર ઉષાબા ગોહિલે 12 દિવસ પૂર્વે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન (Uterus Surgery) કરાવ્યું હતું. આ ઓપરેશન ડો. મલય મકવાણા (Dr. Malay Makwana) દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીને રજા આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમની તબિયત સતત બગડી રહી  હતી. અસહ્ય દુખાવો અને અન્ય શારીરિક તકલીફોને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો.

Advertisement

ડોક્ટરે ગંભીરતા ન દાખવી!

ડોક્ટરની કથિત અવગણના રવિવારે (Sunday) ઉષાબાની તબિયત વધુ લથડી હતી, ત્યારે પરિવારજનો તેમને લઈને ડો. મલય મકવાણા પાસે પહોંચ્યો હતા. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજવાને બદલે તેને સામાન્ય દુખાવો (Normal Pain) ગણાવ્યો હતો. ડોક્ટરે યોગ્ય તપાસ કર્યા વિના અથવા તો ગંભીરતા લીધા વિના દર્દીને ઘરે પરત મોકલી દીધા હતા.

Advertisement

મહિલા મોતને ભેટતાં ભારે હોબાળો

જ્યારે મહિલા દર્દીની હાલત અત્યંત નાજુક બની જતાં તેમને તાત્કાલિક ફરીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આજે સાંજે ઉષાબા ગોહિલનું કરૂણ મોત નિપજ્યું હતું. આ સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં શોક અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો રવિવારે ડોક્ટરે દર્દીને ગંભીરતાથી તપાસ કરી હોત અને સમયસર સારવાર આપી હોત, તો આજે ઉષાબા જીવિત હોત. તબીબની આ ઘોર બેદરકારી (Medical Negligence) સામે રોષે ભરાયેલા સગા-સંબંધીઓએ જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કડક પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો સ્પષ્ટ નકાર કરી દીધો છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ (Police) તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Vav-Tharad: 2 મુસાફરનો એસટી કંડક્ટર હુમલો! મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યાના આરોપ

Tags :
Advertisement

.

×