Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: સરતાનપર દરિયામાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનું મોત

ભાવનગરના તળાજાના સરતાનપર દરિયા કિનારે નાહવા પડેલા ત્રણ બાળકો પૈકી બે સગા ભાઈ-બહેનનું ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. આ કરુણ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે.
bhavnagar  સરતાનપર દરિયામાં ડૂબી જવાથી સગા ભાઈ બહેનનું મોત
Advertisement
  • તળાજાના સરતાનપર દરિયામાં ડૂબી જવાથી બેના મોત
  • એક જ પરિવારના સગા ભાઈ-બહેનનું મોત
  • દરિયામાં નાહવા પડેલા ત્રણ બાળકો ડૂબી ગયા

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા (Talaja) પંથકમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરતાનપર (Sartanpar) દરિયા કિનારે નાહવા પડેલા ત્રણ બાળકો પૈકી બે સગા ભાઈ-બહેનનું દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

  બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર, સરતાનપર દરિયા કિનારે પરિવારના ત્રણ બાળકો દરિયાના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકોને ડૂબતા જોઈને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ (Local Swimmers) ની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

BHAVANAGAR_GujaratFirst (2)

Advertisement

એક બાળકીનો ચમત્કારિક બચાવ

આ દુર્ઘટનામાં જ્યાં બે બાળકોએ જીવ ગુમાવ્યો છે, ત્યાં એક બાળકી માટે કુદરત જાણે દેવદૂત બનીને આવી હોય તેમ તેનો ચમત્કારિક બચાવ (Miraculous Escape) થયો છે. બાળકી સહી-સલામત મળી આવતા પરિવારમાં થોડી રાહત થઈ હતી, પરંતુ પોતાના બે સંતાનો ગુમાવનારા પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હતું.

BHAVANAGAR_GujaratFirst (2) 22

તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતા જ તળાજા ફાયર વિભાગની ટીમ (Fire Department Team) ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા શોધખોળની કામગીરી (Search Operation) હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સરતાનપર ગામમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Bhavnagar માં ગરમીનો કહેર: ઝાડા-ઊલટીના 2500 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

.

×