Bhavnagar: રંઘોળા ડેમમાંથી પાણીની જાવક વધતા ઉમરાળાના 9 ગામમાં એલર્ટ
ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં જળાશયોમાં પાણીની આવક વધતાં વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રંઘોળા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં વધારો કરાતા તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જોખમ ઊભું થયું છે. તંત્ર દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે અને નાગરિકોને સુરક્ષાના ભાગરૂપે કડક સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
Advertisement
ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઉમરાળા (Umrala) તાલુકામાં ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેતા રંઘોળા ડેમ (Ranghola Dam) માંથી પાણીની જાવકમા મોટો વધારો કરવામાં આવ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તેની સીધી અસર આસપાસના વિસ્તારો પર પડી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરક્ષાના પગલાં રૂપે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

