ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાવનગરમાં અવિરત વરસાદ ખેડૂતો માટે બની ગયો મોટી આફત

Bhavnagar : ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જગતના તાત માટે હવે આ વરસાદી માહોલ કપરો સાબિત થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર કર્યું.
03:35 PM Jul 08, 2025 IST | Hardik Shah
Bhavnagar : ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જગતના તાત માટે હવે આ વરસાદી માહોલ કપરો સાબિત થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર કર્યું.
Rain in Bhavnagar and Farmers cry

Bhavnagar : ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જગતના તાત માટે હવે આ વરસાદી માહોલ કપરો સાબિત થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, શરૂઆતમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી અને મગફળીનું વાવેતર કર્યું. મોંઘાદાટ ખાતર બિયારણ નાખ્યા બાદ હવે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે મગફળીનો પાક લીલાછમમાંથી હવે પીળો પડવા લાગતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં 1 લાખ કરતા પણ વધુ હેકટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, તેવામાં પાક પીળો પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર

જણાવી દઇએ કે, ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝનમાં જ સમગ્ર જિલ્લામાં નદી નાળા અને ચેક ડેમો ભરાઈ ગયા છે. તેવામાં ખેડૂતોએ પણ જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે. જિલ્લામાં 1 લાખ કરતા પણ વધારે હેકટરમાં ખેડૂતો મગફળીનું વાવેતર થયું છે. પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને કારણે જિલ્લામાં મગફળીના વાવેતર પર મોટી અસર જોવા મળી રહી છે. મગફળીના પાકમાં પીળાશ પડી જતા પાકને નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની ચિંતામાં હાલ તો વધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતોની મુશ્કેલીઓ વધી

તાજેતરમાં જિલ્લાના ખેડૂતોએ 15 થી 40 વિઘાના ખેતરોમાં 1 લાખથી વધારાનો ખર્ચ મોંઘાદાટ ખાતર બિયારણમાં કરી નાખ્યો છે. પરંતુ અવિરત વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. મગફળીના છોડ પીળા પડવાના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ સેવાઇ રહી છે. જો વરસાદ આમ જ અવિરત પ્રમાણે આવતો રહેશે તો જિલ્લાના અનેક ગામોના ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવશે. જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, ગારીયાધાર, સિહોર પંથકમાં ખેડૂતોની મગફળી હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, પરંતુ અવિરત વરસાદના કારણે આ વરસાદ હાલ આફત સાબિત થઈ રહ્યો છે, ત્યારે હાલ ખેડૂતો ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :  Bhavnagar : પાલીતાણાના વાતાવરણમાં આવ્યો પલટો, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો

Tags :
Agricultural CrisisBhavnagarBhavnagar RainContinuous Raincrop damageExcess RainfallFarmer DistressFlooded FieldsGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahheavy rainfallRain Impact on Farmingrain in bhavnagarunseasonal rainsYellowing Crops
Next Article