આ પુરસ્કાર માટે અમદાવાદ (Ahmedabad) ના કાલુપુર (Kalupur) સ્થિત ગોસ્વામી હવેલીના 16મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના મહાન વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામી (Acharya Shri Ranchhodlalji Goswami) ની પસંદગી કરવામાં આવી છે.
550 વર્ષ જૂની ભક્તિ પરંપરાનું ગૌરવ
આ સન્માન અંગે આચાર્ય રણછોડલાલજીએ જણાવ્યું કે, આ પુરસ્કાર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતની અજોડ ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનું સન્માન છે કારણ કે હવેલી સંગીતમાં ભારતની આત્મા વસે છે. ઉલ્લેખનીય છે કે, પુષ્ટિમાર્ગ (Pushtimarg) ની સ્થાપના મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી (Mahaprabhu Shri Vallabhacharya) દ્વારા આશરે 550 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જેમાં કીર્તનને સેવા-ભક્તિનું સર્વોચ્ચ માધ્યમ માનવામાં આવે છે.
અમદાવાદની 450 વર્ષ જૂની દોષીવાડાની પોળ (Doshiwada ni Pol) માં આવેલી ગોસ્વામી હવેલીમાં આજે પણ ગુરુ-શિષ્ય પરંપરા (Guru-Shishya Parampara) મુજબ વસંત, ગ્રીષ્મ, શ્રાવણ કે શરદ જેવી દરેક ઋતુઓ અને દિવસના અલગ-અલગ પ્રહરો અનુસાર વિશિષ્ટ રાગોમાં અષ્ટછાપ કવિઓની રચનાઓનું ગાયન કરવામાં આવે છે.
માત્ર 32 વર્ષની વયે અદ્ભુત સિદ્ધિ
શ્રી રણછોડલાલજી ગોસ્વામી માત્ર 32 વર્ષની નાની ઉંમરે અસાધારણ શૈક્ષણિક અને સંગીત પ્રદાન ધરાવે છે. તેઓએ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માંથી સંગીતમાં અનુસ્નાતક અને એમ.ફિલ. પૂર્ણ કરી હાલ પીએચ.ડી.નું સંશોધન કરી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં 22,000થી વધુ ભક્તિપદોની રચના કરી છે અને 8 પુસ્તકોનું લેખન કર્યું છે. વ્રજભાષા, ગુજરાતી, સંસ્કૃત ઉપરાંત ચારણી, મેવાડી અને મારવાડી જેવી ભાષાઓ પર તેમનું અદ્ભુત પ્રભુત્વ છે. તેઓ યુનિવર્સિટીના હવેલી સંગીત અભ્યાસક્રમમાં એક્સપર્ટ (Expert) તરીકે પણ કાર્યરત છે.
શાસ્ત્રીય સંગીતનું મૂળ અને સંરક્ષણની જરૂરિયાત
આચાર્યશ્રીના મતે, પ્રબંધ, ધ્રુપદ (Dhrupad) અને ધમાર (Dhamar) જેવી પ્રાચીન શૈલીઓ ધરાવતું હવેલી સંગીત જ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ સ્વરૂપ છે, જેમાંથી જ પાછળથી ખ્યાલ ગાયકીનો વિકાસ થયો છે. ગુજરાત, રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં જીવંત આ પરંપરાને આઝાદી પછી આટલું મોટું રાષ્ટ્રીય બહુમાન કદાચ પ્રથમવાર મળ્યું છે.
તેમણે આ વારસાના સંરક્ષણ (Preservation) માટે યુનિવર્સિટી સ્તરે ફૂલ-ટાઈમ કોર્સ શરૂ કરવા, અધિકૃત ગ્રંથોનું દસ્તાવેજીકરણ કરવા અને યુવા પેઢી માટે સેમિનાર તથા વર્કશોપ યોજવા પર ખાસ ભાર મૂક્યો છે. પાંચ સદીથી વધુ સમય બાદ મંદિરની દીવાલોમાંથી નીકળી આ સંગીત આજે રાષ્ટ્રીય મંચ પર ગુંજ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી જાહેરાત: બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય