Ahmedabad : ચાંદલોડિયા ગરનાળામાં હજુ પણ પાણીનો ભરાવો, કોર્પોરેશન જાણે છે તેમ છત્તા કામગીરીમાં ઉદાસીનતા!
Ahmedabad : ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે અને ચાંદલોડિયા B રેલવે સ્ટેશન પાસેનું ગરનાળુ હજુ પાણીમાં ગરકાવ છે. ગરનાળામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થયો છે અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે.
Advertisement
Ahmedabad : ગરનાળામાં પાણી ભરાવવાના કારણે સ્થાનિકોને 1 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે, ચાંદલોડિયાના આ ગરનાળામાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા રહે છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચાંદલોડિયા વિસ્તારના રહીશો માટે સમસ્યા હજુ પણ યથાવત છે. ચાંદલોડિયા (B) રેલવે સ્ટેશન પાસે આવેલું ગરનાળું (અંડરપાસ) હજુ પણ પાણીમાં ગરકાવ છે.

