Ahmedabad : ધંધુકા અને બગોદરા પંથકમાં જળબંબાકાર યથાવત, વરસાદ થંભી ગયાના દિવસો પછી ખેડૂતોની મુશ્કેલી યથાવત
Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, તેમ છતાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા અને બગોદરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગંભીર જળભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
Advertisement
Ahmedabad : વરસાદ બંધ થયાને કેટલાય દિવસો વીતી ગયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પરથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ખેતીવાડી ક્ષેત્રે સર્જાઈ છે. ધંધુકા અને બગોદરા પંથકના ખેતરોમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

