Ahmedabad Factory Blast Case : ફાયર વિભાગે ગ્યાસપુરમાં આવેલી ફટાકડાની 'જોય એન્ડ એન્જોય' ફેક્ટરી કરી સીલ, મોતનો ખેલ હવે નહીં ચાલે
Ahmedabad Factory Blast Case : અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC), પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગ્યાસપુર ખાતે આવેલી "જોય એન્ડ એન્જોય વર્ક્સ" નામની ફેક્ટરીને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
Advertisement
Ahmedabad Factory Blast Case : રામોલ બ્લાસ્ટ બાદ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી પ્રશાસન માટે એક 'વેક-અપ કોલ' છે. ગ્યાસપુરની આ ફેક્ટરી સીલ કરીને તંત્રે દર્શાવ્યું છે કે જો કડક તપાસ કરવામાં આવે તો ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકાય તેમ છે.

