જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગ પર પડેલા મોટા ભૂવાને કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. ખાસ કરીને આશ્ચર્યની વાત એ છે કે આ ભૂવો પડ્યાને છેલ્લા 5 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી તેનું કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી.
પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલતો કિસ્સો
પાલિકા કે વહીવટી તંત્રની આ પ્રકારની ઉદાસીનતા અને લાપરવાહીને કારણે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અતિ વ્યસ્ત રસ્તો હોવાના કારણે પીક અવર્સ દરમિયાન અહીં લાંબી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
સહજાનંદ કોલેજ ક્રોસિંગ પાસે આવેલા આ ભૂવાને કારણે દ્વિચકી વાહનચાલકો અને ઓટોરિક્ષાચાલકો માટે ગંભીર અકસ્માત થવાનો સતત ભય સતાવી રહ્યો છે. રાત્રિના સમયે અથવા વરસાદી પાણી ભરાયેલા હોય ત્યારે આ ભૂવો નજરે ન ચડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.
મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો
સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જે લોકપ્રતિનિધિઓ અને તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરે છે.
શહેરના નાગરિકોની માંગ છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ ભૂવાનું યોગ્ય પુરાણ અને સમારકામ કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને સામાન્ય પ્રજાને રાહત મળી શકે. જો વહેલી તકે આ માર્ગનું સમારકામ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : Chhota Udepur ના બોડેલીમાં દીપડાનો આતંક, ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો