આ કાર્યવાહીમાં એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે પોલીસ કાફલો, ફાયર વિભાગ અને ટોરેન્ટ પાવરની ટીમો પણ જોડાયા હતા જેથી કરીને કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે.
ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આ રોડનું વિસ્તરણ અનિવાર્ય
પ્રથમ તબક્કામાં જે કોમર્શિયલ બાંધકામો આ પ્રોજેક્ટની વચ્ચે આવતા હતા, તેમને દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અગાઉથી જ અસરગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકોમાં આ બાબતે નારાજગી જોવા મળી હતી.
પોતાની આજીવિકા કે વ્યવસાયના સ્થળને તોડતા જોઈ સ્થાનિક વેપારીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, શહેરના વધતા ટ્રાફિક અને સ્ટેડિયમમાં યોજાતા મોટા કાર્યક્રમો સમયે થતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આ રોડનું વિસ્તરણ અનિવાર્ય છે.
સાબરમતીમાં ડિમોલિશનનો ધમધમાટ
રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે.
હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Vadodara : લવ જેહાદના બહાને યુવતીનું શોષણ, સગીરાના ઘરેણાં અને મોબાઈલ વેચી મારનાર હેવાનને શોધવા પોલીસની તપાસ તેજ