Ahmedabad: કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધીનો ટ્રાફિક કટ બંધ, વાહનચાલકોને મળશે રાહત
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ બંધ કરી દેવાતા વાહનચાલકોને મોટી રાહત મળશે. ઇંધણની બચત અને સિગ્નલ પર થતા ટ્રાફિકને રોકવા માટે અત્યાર સુધીમાં 10 કટ બંધ કરાયા છે.
Advertisement
Ahmedabad Traffic Chanakyapuri: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં હવે પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

