Ahmedabad : SG હાઈવે પર અક્સ્માત રોકવા વધુ એક મહત્વનો નિર્ણય, વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર ચ-0 વચ્ચે ભારે વાહનો માટે પ્રતિબંધ
Ahmedabad અને ગાંધીનગરને જોડતા વ્યસ્ત એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા અને વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગરના 'ચ-0' સર્કલ સુધીના માર્ગ પર થતા અકસ્માતોને રોકવા માટે હવે આ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Advertisement
Ahmedabad : નવા જાહેરનામા મુજબ, હવે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી આ માર્ગ પર ભારે વાહનો દોડાવી શકાશે નહીં. આ સમયગાળા દરમિયાન આ રૂટ પર ભારે વાહનોનું પ્રવેશ સંપૂર્ણપણે નિષેધ રહેશે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અડાલજ કેનાલ પાસે વારંવાર સર્જાતી અકસ્માતોની સ્થિતિને કાબૂમાં લેવાનો છે.

