શક્યતા છે કે આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સિંહની પજવણી કે ઉશ્કેરણી કરવામાં આવી હોય, જેના પરિણામે સિંહે હુમલો કર્યો અને યુવાનનું મોત નીપજ્યું. વનવિભાગે આ હુમલા માટે જવાબદાર એક સિંહને ટ્રાન્કવીલાઈઝ કરીને પાંજરે પુરી દીધો છે.
વનવિભાગ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે
ડીસીએફ ચિરાગ અમીને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓને હેરાન કરવા કે તેમની પજવણી કરવી તે વન અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે. સિંહો જેવી ગૌરવશાળી પ્રજાતિના વિસ્તારમાં માનવીય દખલગીરી ઘણીવાર જીવલેણ પરિણામો નોતરે છે.
તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી હતી કે જો ક્યાંય પણ વન્યપ્રાણીઓની પજવણી થતી જોવા મળે, તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જોઈએ.હાલમાં પાંજરે પુરાયેલા સિંહનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ઘટના સ્થળે ખરેખર કઈ પરિસ્થિતિ સર્જાઈ હતી તેની તપાસ ચાલુ છે.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો વિષય જગાવ્યો છે
વનવિભાગના અધિકારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા વન્યપ્રાણીઓ સાથેની આવી છેડતી કે પ્રવૃત્તિ સામે આવશે તો તેની સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માનવ મૃત્યુના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે સિંહ દર્શન (Lion Viewing) ની પ્રવૃત્તિઓ છૂટથી ચાલતી હોવા છતાં વનવિભાગ કેમ અજાણ છે? તેવા ગંભીર સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot : નાનામવા રોડ પર ફાયરિંગનો તરખાટ, ભત્રીજાની હત્યા તો કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત