સરપંચ સામે ફરજોમાં કસુર, ગેરવર્તણુક અને સત્તાના દુરુપયોગનો આરોપ સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારીએ આ પગલું લીધુ હોવાની વાત સામે આવી છે.
સત્તાના દુરુપયોગનો આરોપ સાબિત થયો!
ગૌચરના દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેવા અને તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા દ્વારા લેવાયો કડક નિર્ણય, આ સમગ્ર ઘટનામાં 30 દિવસમાં અધિક વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે સરપંચ અપીલ કરી શકશે.
રામપુરા ગામના ગૌચર વિસ્તારમાં મોટા પાયે થયેલા ગેરકાયદેસર દબાણોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સરપંચને દબાણો દૂર કરવા માટે અનેક વખત કારણદર્શક નોટિસો પાઠવવામાં આવી હતી.
ફરજમાં બેદરકારી અને ગેરવર્તણૂક ભારે પડી સરપંચને
સુનાવણી દરમિયાન સરપંચ સીતાબેન ગોસ્વામીએ લેખિત તેમજ મૌખિક રીતે દાવો કર્યો હતો કે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. જોકે, વિસ્તાર વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર કરાયેલી તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.
આદેશમાં વધુમાં જણાવાયું છે કે વારંવાર તક આપવામાં આવી હોવા છતાં સરપંચે પોતાની કાયદાકીય ફરજો બજાવવામાં સતત કસૂર અને ગેરવર્તણૂક આચરી છે.
આ પણ વાંચો : Gandhinagar-Sarkhej હાઈવે પર 3 કાર વચ્ચે ગંભીર અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા