Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar જિલ્લાની 3 નગરપાલિકામાં સત્તા માટે જંગ, 19 મેના રોજ યોજાશે ચૂંટણી

ભાવનગર જિલ્લાના રાજકારણમાં આગામી 19 મેનો દિવસ ભારે ઉત્તેજનાભર્યો રહેવાનો છે. મહુવા, વલ્લભીપુર અને પાલીતાણા જેવી મહત્વની નગરપાલિકાઓમાં નવા શાસકોની વરણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. બપોરે 12:30 વાગ્યે સભાખંડમાં કયા પક્ષના નેતાઓનું પલ્લું ભારે રહેશે અને કોને તાજ પહેરાવવામાં આવશે, તે રાજકીય ખેંચતાણની વિગતો જાણવા જેવી છે.
bhavnagar જિલ્લાની 3 નગરપાલિકામાં સત્તા માટે જંગ  19 મેના રોજ યોજાશે ચૂંટણી
Advertisement
  • Bhavnagar જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર
  • મહુવા, વલ્લભીપુર અને પાલીતાણામાં સત્તાનો થશે જંગ
  • 3 નપાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર
  • 19 મે 2026ના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે ચૂંટણી
  • ત્રણેય નગરપાલિકાના સભાખંડમાં જનપ્રતિનિધિઓ કરશે મતદાન
  • નવા સુકાનીઓની વરણી માટે રાજકીય પક્ષોમાં મથામણ શરૂ

Bhavnagar: ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાની ત્રણ મહત્વની નગરપાલિકાઓ (Municipalities) માટે આગામી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

Advertisement

ચૂંટણી આગામી 19 મે 2026 ના રોજ યોજવામાં આવશે

મળતી વિગત મુજબ, ભાવનગરની મહુવા (Mahuva), વલ્લભીપુર (Vallabhipur) અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા (Palitana) નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ (President and Vice President) પદ માટે ચૂંટણી યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ ચૂંટણી આગામી 19 મે 2026 ના રોજ યોજવામાં આવશે.

Advertisement

ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર

ચૂંટણીનો સમય બપોરે 12:30 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા જે તે નગરપાલિકાના સત્તાવાર સભાખંડમાં (Meeting Hall) હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી માટે અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પક્ષના મેન્ડેટ કોને મળશે અને કયા નવા ચહેરાઓને સત્તાનું સૂત્ર સોંપવામાં આવશે તેને લઈને તર્કવિતર્ક થઈ રહ્યા છે.

Bhavnagar: ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે

આગામી 19 મેના રોજ યોજાનારી આ સામાન્ય સભામાં સભ્યો દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. ભાવનગર જિલ્લાની આ ત્રણેય પાલિકાઓના વહીવટમાં હવે નવા સુકાનીઓ કઈ રીતે જવાબદારી સંભાળશે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Morbi: જુના સાદુળકા ગામે મોતની તલાવડી!, ડૂબી જતાં ત્રણના મોત, સમગ્ર પંથકમાં ચકચાર

Tags :
Advertisement

.

×