Dahod News : દાહોદ જિલ્લામાંથી હૈયુહચમચાવી નાખનાર ઘટના બની છે. દાહોદ જિલ્લાના સુખસરના પાટડીના ગામે એક દુર્ઘટના સર્જાઈ છે. તળાવમાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. અચાનક આ દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.
Dahod News : તળાવમાં ડૂબવાથી 2 બાળકના મોત
ઉલ્લેખનીય છે કે સુખસરના પાટડીયા ગામે આવેલા તળાવમાં એક જ પરિવારના બે બાળકો ન્હાવા પડ્યાં હતા. જેમાં 2 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા જીવ ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં 11 વર્ષીય પ્રિન્સ અને 9 વર્ષના ઋત્વિકનો સમાવેશ થયો હતો. મળતી માહિતી અનુસાર બાળકો તળાવ કિનારે રમી રહ્યાં હતા. ત્યારે અચનાક તળાવમાં ન્હાવવા માટે ગયા હતા. પરંતુ લાંબા સમય સુધી 2 બાળકો તળાવમાંથી બહાર ન આવતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
એક જ પરિવારના 2 બાળકે ગુમાવ્યો જીવ
મહત્વનું છે કે ગ્રામજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંન્ને બાળકને તળવામાંથી બહાર કાઢી તાત્કાલિક ઝાલોદની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા જ ડોકટરે 2 બાળકને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના 2 બાળકના મોત થતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુખસર પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Porbandar Accident : બોખીરામાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો અકસ્માત, 1 મહિલાનું મોત