Delhi Breaking News : માલવિયા નગરમાં એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષ આગ,20 લોકોના મોત
Delhi Breaking News : રાજધાની દિલ્હીના માલવિયા નગર (Malviya Nagar) વિસ્તારમાં આજે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગવાના કારણે ભારે તબાહી મચી હતી. આ અગ્નિકાંડમાં 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે.
Delhi Breaking News : ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ
દિલ્હી ફાયર સર્વિસ (Delhi Fire Service - DFS) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને સવારે 9 વાગ્યાની આસપાસ 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ' (Lemon Green Restaurant) માં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર બિલ્ડિંગ (Building) ને ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી દસથી વધુ ફાયર ટેન્ડર (Fire Tenders), વોટર બોઝર અને ક્વિક રિસ્પોન્સ વાહનો ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.
બેઝમેન્ટમાંથી કરાયું રેસ્ક્યૂ
ઉલ્લેખનીય છે કે ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કર્યું હતું. આ દરમિયાન, ફાયર ફાઈટરોએ બિલ્ડિંગના બેઝમેન્ટ (Basement) માંથી ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
View this post on Instagram
આગનું કારણ અકબંધ
ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ (Cause of Fire) હજુ સુધી અજ્ઞાત છે. સ્થાનિક પોલીસ (Police) અને તપાસકર્તાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ બેદરકારીને કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો : Bihar News : ખાન સરના કોચિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ, હિંસક ઘટના બાદ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો


