Delhi Fire : તુગલકાબાદમાં આગનો કહેર, બિલ્ડીંગમાં ફસાયેલા 3 લોકોના મોત
Delhi Fire : દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવ્યા છે.
Advertisement
Delhi Fire : દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક ઇમારતમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવ્યા છે. આગના કારણે ઘટનાસ્થળે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ દિલ્હી ફાયર સર્વિસ (DFS) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

