ગોંડલ અમિત ખૂંટ કેસમાં સૌથી મોટા સમાચાર: અનિરૂદ્ધસિંહ જાડેજાના હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર
Amit Khunt Suicide Case: ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન મંજૂર કરીને મોટી રાહત આપી છે. આ અગાઉ તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે. પિતા-પુત્ર બંનેને જામીન મળતા રીબડા અને ગોંડલ પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
Advertisement
Amit Khunt Suicide Case: ગુજરાતમાં ચકચારી બનેલા ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં (Amit Khunt Suicide Case) કાયદાકીય મોરચે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં (Case) મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા રીબડાના (Ribda) ક્ષત્રિય અગ્રણી અનિરૂદ્ધસિંહ જાડેજાને (Aniruddhsinh Jadeja) ગુજરાત હાઈકોર્ટ તરફથી (Gujarat High Court) મોટી રાહત મળી છે. હાઈકોર્ટે (High Court) તેમની નિયમિત જામીન અરજી (Regular Bail Application) મંજૂર કરી દીધી છે.

