સૌથી વધુ લાભ રાજકોટ શહેરને મળ્યો છે
સરકાર દ્વારા જે મુખ્ય મંજૂરીઓ આપવામાં આવી છે તેમાં સૌથી વધુ લાભ રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટની ટાઉન પ્લાનિંગ યોજના નંબર 57 અને 58 ને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી છે, સાથે જ વાજડી ગઢ વિસ્તારની ટાઉન પ્લાનિંગ યોજના નંબર 80 ને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના વધતા જતા વિસ્તાર અને આયોજનબદ્ધ વિકાસ માટે આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સુરતની ટાઉન પ્લાનિંગ યોજના નંબર 68
બીજી તરફ, સુરત શહેર માટે પણ મહત્વના સમાચાર છે. સુરતની ટાઉન પ્લાનિંગ યોજના નંબર 68 ને સરકારે લીલી ઝંડી આપી છે. સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં આવી TP સ્કીમનું અમલીકરણ થવાથી આસપાસના વિસ્તારોમાં રોડ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
અમદાવાદ શહેર માટે પણ સારા સમાચાર છે, જેમાં અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તારની ફાઇનલ ટાઉન પ્લાનિંગ યોજના નંબર 409 ને મંજૂરી આપવામાં આવી છે.
શહેરી ગૃહ નિર્માણ વિભાગે અલગ અલગ અધિસૂચનાઓ બહાર પાડી
આ યોજનાઓ મંજૂર થવાથી સંબંધિત વિસ્તારોમાં જમીનોના ભાવ, વ્યવસ્થિત રહેણાંક અને વ્યાપારી એકમોના આયોજનમાં સ્પષ્ટતા આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શહેરી વિસ્તારના નાગરિકોને આયોજનબદ્ધ સુવિધાઓ મળવાની સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળશે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં ગેરકાયદે બાંધકામો રોકીને આયોજનબદ્ધ વિકાસ કરવાનો છે. મંજૂર થયેલી આ તમામ યોજનાઓ ટૂંક સમયમાં જ અમલી બની જશે, જેનાથી આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો નવો અધ્યાય શરૂ થશે. નાગરિકો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સમાં પણ આ નિર્ણયને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Vadodara શહેરની જનતાને પ્રદૂષણમુક્ત અને આધુનિક પરિવહન સેવાની ભેટ, 250 ઈલેક્ટ્રિક બસો દ્વારા પર્યાવરણ જાળવણીનો મક્કમ નિર્ધાર