Ahmedabad Rath Yatra: રથયાત્રાની સુરક્ષાને લઈને DyCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક મોટી સુરક્ષા જવાબદારી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આખું બ્લૂ-પ્રિન્ટ તૈયાર કર્યું છે.
Advertisement
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં આગામી રથયાત્રા (Rath Yatra) ને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી (Ahmedabad Police Commissioner Office) ખાતે એક મહત્વપૂર્ણ રીવ્યુ બેઠક યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રથયાત્રાના રૂટ અને સુરક્ષાના તમામ પાસાઓ પર સઘન ચર્ચા કરવામાં આવી હતી.

